Abtak Media Google News

આધારને વોટિંગ કાર્ડ સાથે જોડી સ્થળાંતરીત મતદારો ઇ-વોટિંગ કરી શકશે!!

કેન્દ્રીય કેબિનેટે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરવાના બિલને આપી મંજૂરી

અબતક, નવી દિલ્હી : દેશમાં સ્થળાંતરીત મતદારોનો પ્રશ્ન ઘેરો બનતો જઈ રહ્યો છે. આવા મતદારો મતદાનના અધિકારથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા હાલ આયોજન ઘડવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે દેશમાં આધારને વોટિંગ કાર્ડ સાથે જોડવાનું બિલ પણ કેબિનેટમાં મંજુર થયું છે.

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ચૂંટણી સુધારણા અંગેના બિલને મંજૂરી આપી દીધી છે. જે આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરવાની મંજૂરી આપે છે.આ ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા સુધારાઓમાંનું એક છે. હાલ મતદાર યાદીને આધાર ઇકોસિસ્ટમમાં સીડ કરવામાં આવશે નહીં, તેનો ઉપયોગ માત્ર ચકાસણી માટે ઓટીપી સિસ્ટમ હેઠળ કરવામાં આવશે.

આધાર અને મતદાર આઈડીને લિંક કરવાના મામલે સુપ્રીમ કોર્ટના ગોપનીયતાના અધિકારના નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવશે. ચૂંટણી પંચને વધુ સત્તા આપવા માટે સરકાર પગલાં લેશે.  પ્રસ્તાવિત બિલ દેશના યુવાનોને દર વર્ષે ચાર અલગ-અલગ તારીખે મતદાતા તરીકે પોતાની નોંધણી કરાવી શકશે.  એટલે કે મતદાર બનવા માટે હવે વર્ષમાં ચાર તારીખોને કટઓફ ગણવામાં આવશે.  અત્યાર સુધી દર વર્ષે 1 જાન્યુઆરીના રોજ અથવા તે પહેલાં 18 વર્ષની થઈ ગયેલા યુવાનોને જ મતદાર તરીકે નોંધણી કરાવવાની છૂટ છે.

ભારતનું ચૂંટણી પંચ લાયકાત ધરાવતા લોકોને મતદાર તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવા માટે બહુવિધ ‘કટઓફ તારીખો’ની હિમાયત કરી રહ્યું છે.  ચૂંટણી પંચે સરકારને કહ્યું હતું કે 1 જાન્યુઆરીની કટ ઓફ ડેટને કારણે ઘણા યુવાનો મતદાર યાદીની કવાયતથી વંચિત રહી ગયા હતા.  માત્ર એક જ કટ-ઓફ તારીખ સાથે, 2 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનારા લોકો નોંધણી કરાવી શક્યા ન હતા અને નોંધણી માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડી હતી.

કાયદા અને ન્યાય મંત્રાલયે તાજેતરમાં સંસદની એક સમિતિને જણાવ્યું હતું કે તે લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 14બીમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે જેથી દર વર્ષે નોંધણી માટે ચાર કટ-ઓફ તારીખો હોય: જાન્યુઆરી 1, એપ્રિલ 1, જુલાઈ અને 1 ઓક્ટોબર. સમાવેશ થાય છે.  માર્ચમાં, તત્કાલિન કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું હતું કે, એક જ વ્યક્તિની ઘણી વખત નોંધણી કરવાના દુષણને રોકવા માટે ચૂંટણી પંચે આધાર સિસ્ટમને મતદાર યાદી સાથે લિંક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

33 ટકા મતદારો સ્થળાંતરીત, તેઓને ઇ-વોટનો લાભ આપવાનું આયોજન

ભારતમાં 33 ટકા મતદારો સ્થળાંતરીત છે. તેમાં પણ ખાસ જેનું મહત્વ છે તેવા યુવા મતદારોનું પ્રમાણ ખૂબ વધુ છે. રોજીરોટી માટે તથા શ્રેષ્ઠ કારકિર્દી માટે યુવાનો બહારના પ્રદેશમાં જાય છે. આવા યુવાનો મતદાનથી વંચિત રહી જાય છે. આ પ્રશ્ન નિવારવા સરકાર હવે તેઓને ઇ- વોટનો લાભ આયોજન હાથ ધરી રહી છે. આ માટે પ્રથમ પગલું આધાર અને વોટર કાર્ડનું લિંક અપ કરવું છે. આ થયા બાદ સરકાર બીજા પગલાંઓ લઈને વિકસિત દેશોની જેમ ઇ-વોટનું સુવિધા પણ જાહેર કરશે.

ડુપ્લીકેટ વોટર આઈડી રદ થઈ શકશે

ભારતમાં બોગડ વોટર આઈડીનું દુષણ પણ જોવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારના વોટર આઈડી સાથે આધાર લિંક કરવાના નિર્ણયને પગલે જેટલા ડુપ્લીકેટ વોટર આઈડી છે. તે રદ થઈ શકશે. આવું કરવાથી મતદાર  યાદી વધુ સારી બની શકશે. જેમાં મૃતકની કે બોગસ આઈડી હટી જવાથી તે વધુ સચોટ બની શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.