Abtak Media Google News

ઓખા  બેટ દ્વારકાના મુળ વતની અને અત્યારે ઓમાનમાં સ્થાઇ થયેલા અસ્વીનભાઈ ધરમશી નેણસી પરીવાર દ્વારા બેટ દ્વારકા મુકામે પરમ કૃપાળુ અખીલ બ્રહ્માંડના નાયક રાજા ધીરાજ ભગવાન દ્વારકાધીશજીનો છપ્પન ભોગ ઉત્સવ મનોરથ  દર વર્ષે  ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ તા. ર૯-૧૧ ને ગુરુવારના રોજ રાખેલ છે.

આ પાવનકારી પ્રસંગે પરમ વંદનીય વિધાનંદજી મહારાજ(બાપજી) શ્રી સ્તભેશ્વર મહાદેવ (કંબોઇ) કાવી જાબુસર અને બાબા અનંતદાસજી (ફલાંગગબાબા) હાજર રહેશે. તથા દ્વારકાધીશ મુખ્ય મંદીરમાં છપ્પનભોગ દર્શન અને બપોરે એક વાગ્યે મહાપ્રસાદી દ્વારકાધીશ મંદીર પાસે ગુજરાતી સ્કુલના ગ્રાઉન્ડમાં રાખેલ છે. તો સર્વે વૈશ્નવોએ આ શુભ અવસરોએ હાજર રહેવા મંદીરના ટ્રસ્ટીઓ તથા નેણસી પરીવારનું ભાવ ભર્યુ આમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.