Abtak Media Google News

એક જ ઘરેડમાં જીવતો માણસ ઘરડો થઇ જાય છે. નિવૃત્તિમાં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિમાં જ નિવૃત્તિ શ્રેષ્ઠ ફળ છે. આજે ઘણા વૃઘ્ધોને પોતાની નવરા અસહ્ય લાગે છે પણ મનગમતી પ્રવૃતિમાં જોડાય જાય એ જ શ્રેષ્ઠ જીવન છે

ફિલ્મ લગે રહો મુન્નાભાઇમાં કેટલાક વૃઘ્ધો, નિવૃત્તો એક જુટ થઇને ‘સેક્ધડ ઇનિંગ્સ’ હોમમાં રહીને મસ્ત જીવન પસાર કરતાં બતાવાયા છે. બુઘ્ધ અને વૃઘ્ધની ફિલસુફી સમજવાની જરૂર છે. યુવાની પછી વૃઘ્ધાવસ્થા આવે જ છે. પણ એમાં સતત પ્રવૃતિશીલ રહેવાથી તમો સદાબહાર રહી શકો છો. શરીર ભલે વૃઘ્ધ થાય, ઘરડું થાય પણ માનસિક રીતે કયારેય વૃઘ્ધ ન થવું, નવું-નવું શિખતા રહેવું એ જીવનની

લય છે. આપણે ત્યાં મોટા ભાગે પ0 થી 60 વચ્ચે વૃઘ્ધ થઇ જાય છે. કપડા, રહન-સહન, દિનચર્યા વિગેરે બધુ જ ફેરવીને માણસ પોતે વૃઘ્ધની ટીપીકલ  ઘરેડમાં જીવવા લાગે છે તેથી જ તો કહેવાય છે કે જે એક ઘરેડમાં ચાલે તે ઘરડો થઇ જાય.

આજે ર1મી સદીમાં બદલાવ આવવાથી સીનીયર સીટીઝનોની કલબો, નિવૃત લોકોના મંડળો જેવા વિવિધ યુનિટોના સથવારે માણસ ફરી ધબકવા લાગ્યો છે. અમેરીકાના નવા વડાપ્રધાન બિડેન 76 વર્ષના છે ને સતત કાર્યશીલ પ્રવૃત્તિ શીલ સાથે દુનિયાના સૌથી મોટી મહાસત્તાના રાષ્ટ્રપતિ બન્યા છે. તે લોકડીના ટેકે નથી ચાલતા આજે એઇજના આપણે આસપાસ જો જો તો જ ખ્યાલ આવી શકે.

આજે સમાજમાં સૌ પોતાની રીતે જીવવા માટે મથામણ કરી રહ્યો છે ત્યારે પરિવારના વડિલો માટે શું તે કોઇ સમજતું નથી. દિકરો પણ મા-બાપને રાખવા માંગતો નથી ત્યારે આપણા ગુજરાતમાં દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે. એક સર્વે મુજબ ગુજરાતમાં 200 જેટલા વૃઘ્ધા શ્રમો છે. દર વર્ષે તેમાં 14-1પ નો વધારો થાય છે. તો એની  સામે 4 કે પ બંધ પણ થાય છે. ર005માં વૃઘ્ધાશ્રમની સંખ્યા માત્ર 67 જેટલી હતી. છેલ્લા દોઢ દાયકામાં ત્રણ ગણી સંખ્યા વધી ગઇ છે. એકલા અમદાવાદમાં રપ જેટલા વૃઘ્ધાશ્રમો આવેલા છે.

Old Age 3

58 વર્ષ સુધી સરકારી નોકીરી કરીને નિવૃત થનાર કર્મચારીને પ્રશ્ર્ન છે હવે દરરોજ જવું કયા? માણસ પોતે અભિમાન, ઘમંડ, હોદ્દો, માન-મોભ્ભો, ઇજજતા, દોલત વિગેરેમાં જીવ્યો હોય ત્યારે વૃઘ્ધાવસ્થામાં તેને એકાંત એકલતા મહસુસ કરવી પડે છે. સતત કામ કરનારને કયારેય ઉંમર નડતી નથી. કેટલાય ફિલ્મ કલાકારો 70 ઉપરની વય વટાવી ગયા છે છતાં આજે એ જ ઉત્સાહથી કાર્યરત છે. નિવૃત થયા પછી પોતાની નવરાશ જ માણસને અસહય લાગવા માંડે છે.

નોકરી, વ્યવસાય કે પારિવારિક જવાબદારીમાંથી નિવૃત માણસ ગમતું કામ કરવા લાગે તો ફુલગુલાબી થઇ જાય છે. જીવન જીવવાની લલિતકલા હવે આજના યુગમાં સૌએ શિખી લેવાની જરુર છે. પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ સાથેની રહેણી કરણી કરીને પોતાને માટેને પોતાની રીતે જીવવાનો આનંદ એ જ સાચુ જીવન છે. જીવન અને મરણ વચ્ચેના તમામ તબકકાવાઇઝ સંસાર યાત્રા પુરી કરીને એક ગાળો એવો આવે છે કે જયારે ખરેખર પોતાની જાત સાથે વાતો કરતા ને પોતાની જાતે જીવન જીવતાં ને આનંદોત્સવજીવન જીવવાનો સમય મળે છે. ઘણા બધા લોકોએ પોતાની નિવૃતિ ને સારી જાળવણી કરીને શ્રેષ્ઠ બનાવી છે.

વૃઘ્ધાવસ્થાએ જ સમગ્ર જીવન ફાસ્ટ ફોરવર્ડ સાથે આપણાં મગજની સામેથી દ્રશ્યમાની થાય છે. વૃઘ્ધા વસ્થાની ટેકણ લાકડી ખરેખર એકલતા છે. જેને એકલા રહેતા કે જીંદગી સાથે સમાધાન કરીને કે ભારેખમ જીવન જીવનો માણસ તરીકે કેમ જીવવું તે હવે સૌએ નકકી કરી લેવું પડશે. સ્ત્રી-પુરૂષ બન્ને જીવતાં હોય તો વૃઘ્ધાવસ્થા સહન થઇ જાય છે પણ એકલી સ્ત્રી કે પુરૂષ કોઇકનો સહવાસ ઝંખે છે.

મમ્મી-પપ્પા વૃઘ્ધ થાય એટલે સંતાનો તથા તેના પરિવારો બહુ ગણકારે નહી  કે તેનું ધાર્યુ ન થાય તેવા સંજોગોમાં ઘરમાં કલેશ જોવા મળે છે. સંયુકત કુટુંબોમાંથી વિભકત કુટુંબો થતા વૃઘ્ધ મા-બાપનું કોઇ ઘણી ઘોરી નથી થાતું, હા મા-બાપની બેંક બેલેન્સ તગડી હોય તો પરિવાર સરખી રીતે સાચવે છે. વૃઘ્ધાવસ્થાની બચવાના ઘણા રસ્તા છે. પૌત્ર-પૌત્રીઓ, દોહિત્ર-દોહિત્રીઓ વિગેરેમાં જીવ પરોવીને તમારા સંતાનોની જેમ વાર્તા કરો, રમાડો, ઘણીવાર આપણને જીંદગી મોડી સમજાય છે. બે પેઢી વચ્ચેના સમન્વયનું નામ જ વૃઘ્ધાવસ્થા છે. કેટલાક તો નવી નોટ જેવા હતાને નિવૃતિ બાદ પરચુરણ જેવા થઇ જાય છે.

Old Age 1

સિનિયર એટલે અનુભવી જાુના  જે બીજાને માર્ગદર્શન આપી શકે પણ આજે એ વાત કોણ સમજે છે. છોકરા બાપાને કહે કે તમને નહી સમજાય ને બાપ છોકરાને કહે કે અમારા જમાનામાં આવું કંઇ ન હોતું, બન્ને વચ્ચેની ખાઇ દિવસ દિવસે મોટી થતી જાય છે. એક વાત એ પણ છે કે ઘડપણમાં શરીર નબળું પડે છે તેથી વૃઘ્ધોની શારીરિક પ્રવૃતિઓ બંધ થઇ જાય છે, જો કે ઘણા વૃઘ્ધો સક્રિય રહેતા હોય છે. ઘડપણમાં રોગનું પ્રમાણ વધે ને શરીર સાથ આપતું નથી. દરેક વૃઘ્ધે ચાલવાની કસરત કરવી જે સૌથી સરળ, સલામત અને કુદરતી છે.

વૃઘ્ધત્વ ટાળી શકાતું નથી. યુવાન જેટલું તે કામ ન કરી શકે એ સ્વાભાવિક છે. યોગ વિજ્ઞાનનો ફાયદોઓ છે કે તે વૃઘ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. તમારો વિલપાવર સાથેનું જીવન સાદા યૌવન રાખે છે. નેગેટીવીટી જ માણસને ઘરડો કરી નાંખે છે. તમારૂ સમગ્ર જીવનનો અરિસો જ તમારૂ વૃઘ્ધત્વ છે. સમયની સાથે તાલ મિલાવીને, વસ્ત્રો પહેરીને, જીવનમાં બદલાવ લાવીને જીવતો માણસ કયારે વૃઘ્ધ થતો નથી.

બાળક માટે રૂપિયા 20,000/- નું  ટેબલેટ જરૂરિયાત છે?? પણ બુઝૂર્ગ માટે રૂપિયા 20/- ની ટેબલેટ મોંધવારી છે!!

કદાચ… આજનો વૃઘ્ધાવસ્થા છે.

70ની વય વટાવી ચૂકયા છતાં ફિલ્મો કે સામાજીક ક્ષેત્રે સક્રિય તારલાઓ

અંતિમ ક્ષણ સુધી જીવનનો આનંદ મેળવવા સતત પ્રવૃત્તિ શિલ રહેવું પડે છે. આજે બોલીવુડમાં 70ની વય વટાવી ચુકયા બાદ પણ ફિલ્મો કે સામાજીક ક્ષેત્રે સતત કાર્યશીલ છે, એવા કલાકારોની યાદીમાં ઘણા જાણીતા નામો છે.

રમેશ દેવ (91), કલ્પના કાર્તિક (89), આશા ભોંસલે (87), ગુલઝાર (86), પ્રેમ ચોપડા (85), ધર્મેન્દ્ર (85), જીતેન્દ્ર (78), માલા સિંહા (84), સલીમખાન (85), મનોજકુમાર (83), અરવિંદ ત્રિવેદી (82), શોભાખોટે (80), અસરાની (79), જાવેદ અખ્તર (75), લત્તા મંગેશકર (92), શશીકલા (87), શ્યામ બેનેગલ (86), કબીર બેદી (74), સંજયખાન (79), મીનુ મુમતાઝ (78), અમિતાભ બચ્ચન (79), આશા પારેખ (78), અમોલ પાલેકર (76), શેખર કપુર (75), શત્રુઘ્ન સિંહા (75), રણજીત (74), અનિલ ધવન (73), વહિદા રહેમાન (82), હેલન (81), યસુદાન (80), રાજશ્રી (76), કુલભૂષણ ખરબંદા (76), સુરેશ ઓબેરોય (74), કામિની કૌશલ (97)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.