Abtak Media Google News

પાવનકારી શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધન નિમિતે આજે સવારથી શહેરના તમામ શિવાલયોમાં શિવભકતોના ઘોડાપુર ઉમટયા હતા. આજી નદીના મધ્યમાં બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવની પુજા-અર્ચના માટે

આજે સવારથી ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો હતો. શિવભકતોએ દુધ, જળનો અભિષેક કરી ભોળીયાનાથની આરાધના કરી હતી. એક તરફ હાલ આજી નદી ખડખડ વહી રહી છે બીજી તરફ રામનાથ મહાદેવ મંદિરે અલૌકિક શણગારથી વાતાવરણ મનમોહક લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.