Abtak Media Google News

રાજકોટમાં તાજેતરમાં જ સતત બે દિવસની અંદર હૃદય હુમલાથી 7 લોકોના મોત થયા હતાં.જેથી હદય હુમલો ચિંતાજનક બન્યો છે ત્યારે ગઈકાલે ફરી એક હદય હુમલાની ઘટના સામે આવી આવી છે.જેમાં કોઠારીયા સોલવન્ટ ખાતે રહેતા ચાની હોટલના સંચાલક રાત્રિના પોતાના ઘરે સુતા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપાડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક 108 ને જાણ કર્યા બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમને સારવાર મળે તે પહેલા જ તેઓ કાળનો કોળિયો બન્યા હતા. જેથી રાજકોટમાં વધુ એક હૃદય હુમલા ના મોતથી ઘટના સામે આવતા અરેરાટી પ્રસરી જવા પામી છે.

Advertisement

ચાની હોટલના સંચાલક ઘરે સૂતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડયા પછી ઢળી પડ્યા બાદ મોત : સાત સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર કોઠારીયા સોલવન ખાતે આવેલા ગોપાલ નગરમાં રહેતા અને કોઠારીયા ચાની હોટલ ધરાવતા મફાભાઈ પોલાભાઈ ભુવા નામના 45 વર્ષીય આધેડ ગઈકાલે હોટલે થી રાત્રિના પોતાના ઘરે આવી જમ્યા બાદ સૂઈ ગયા હતા ત્યારે રાત્રીના 2.30 વાગ્યાના આસપાસ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા તેમને તેના પરિવારજનો દ્વારા 108 મારફત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમનું સારવાર મળે તે પહેલા જ મોતની નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે તબીબો દ્વારા આધેડને હાર્ટ અટેક આવ્યા હોવાથી પ્રાથમિક તારણ જણાવ્યું હતું

આ બનાવની જાણ પોલીસ સ્ટાફને થતા પોલીસ દ્વારા તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મૃતક મફાભાઈને સંતાનમાં ત્રણ દીકરા અને ચાર દીકરીઓ છે. જ્યારે મફાભાઈ કોઠારીયા રોડ પર ચાની હોટલ ચલાવે છે. હાલ બનાવથી પરિવારજનોમાં શોકનું મોજુ ફળી વળ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.