Abtak Media Google News

પ્રેમ પ્રકરણમાં આડખીલીરૂપ બનતા માણાવદર પંથકના યુવકનું ચાર શખ્સોએ ઢીમઢાળી દીધુ‘તુ

એલ.સી.બી. અને શાપર પોલીસે ખૂનનો ભેદ ઉકેલ્યો ‘તો: એકની શોધખોળ

રાજકોટ-ગોંડલ માર્ગ પર શાપર-વેરાવળ ખાતે 10 દિવસ પૂર્વે પ્રેમ પ્રકરણમાં આડખીલીરૂપ બનતા યુવકની હત્યાના ગુનામાં નાસતા ફરતા એક શખ્સને એસ.ઓ.જી.એ ઝહપી લીધો છે. ધરપકડ આંક ત્રણ પર પહોચ્યા છે. જયારે એકને ઝડપી લેવા આશ્રય સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ માણાવદર પંથકના અને શાપર-વેરાવળની સર્વોદય સોસાયટીમાં રહેતો નિલેશ ઉર્ફે ભદો દેવશી સોંદરવા નામના યુવક્ધે ઢોરમારમારી મોતને ઘાટ ઉતાર્યાની મૃતકના ભાઈએ પોરબંદરના ભરત ઉર્ફે ભૂરો કાંતી ચાંચીયા અને ચિરાગ રાજેશ જોષી નામના શખ્સ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

એલ.સી.બી. અને શાપર પોલીસ ગણતરીનાં દિવસોમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલી સુત્રધાર સહિત બે શખ્સોને ઉઠાવી આકરી પૂછપરછમાં પ્રેમ પ્રકરણમા આડખીલી રૂપ બનતા સોહીલ રફીક જલવાણી અને જીજ્ઞેશ ઉર્ફે ભયલી વાઢીયાની મદદથી નિલેશ ઉફર્ષ ભદાની હત્યા કર્યાની કબુલાત આપી હતી.

અમરેલીના બાબરાનો વતની અને હાલ પાટડી ગામે રહેતો સોહીલ રહીલ જલવાણી નામનો શખ્સ પડવલા ગામ નજીક હોવાની એસ.ઓ.જી.ને મળેલી બાતમીનાં આધારે પી.આઈ. એસ.એમ. જાડેજા, પી.એસ.આઈ. એચ.એમ. રાણા, એ.એસ.આઈ. ઉપેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી અને નીરાલીબેન વેકરીયા સહિતના સ્ટાફે ગોઠવેલી વોચમાં સોહીલ રહીમ જલવાણીની ધરપકડ કરી શાપર વેરાવળ પોલીસ મથકને હવાલે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.