Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશે આજે જણાવ્યું હતું કે, રાજયમાં બિન ખેતીની જમીન કરવા માટેની અરજીઓને સત્વરે નિકાલ થાય અને વહિવટી તંત્રમાં પારદર્શકતા જળવાઈ રહે તે માટે બિન ખેતીની અરજીઓ ઓન લાઈન કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisement

શ્રી કે.રાજેશે વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૧૨મી નવેમ્બરથી ઓન લાઈન કરવાની પ્રક્રિયાનો સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. અરજદારશ્રી કંચનબેન ભગવાનભાઈ મરોરસીયાએ રતનપરની સર્વેનં.-૨૬૯ બિન ખેતી કરવા તા.૧૩ મસ નવેમ્બરના રોજ અરજી કરી હતી. ઓન લાઈન અરજીની પૂર્વ ચકાસણી અધિકારીએ અરજીની સ્વીકાર કર્યો તેની નકલ પણ ઈ-મેઈલથી કરવામાં આવી હતી.

તા.૧૪ મી નવેમ્બરે તો ઓનલાઈનમાં તમામ પુરાવા તપાસીને અરજદારને તે જ દિવસે ઈ-મેઈલથી મંજૂરી આપવામાં આવી હતી. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઈનની પ્રથમ અરજી મંજુર કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બિન ખેતીની અરજીઓ ઓન લાઈન કરવાને સફળતા મળી છે.

જિલ્લામાં હવે બીન ખેતીની તમામ અરજીઓ ઓનલાઈન જ અરજી કરવા કલેકટરશ્રીએ જણાવ્યું છે. ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં નહીં આવે તેની ખાસ નોંધ લેવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.