Abtak Media Google News

મસમોટી ઈ-કોમર્સ કંપનીઓના કારણે નાના વેપારીઓનો ‘રોટલો’ છીનવાઈ જશે?

વર્તમાન સમયમાં ઓનલાઈન ખરીદીનો ક્રેઝ સતત વધી રહ્યો છે. એમેઝોન, ફલીપકાર્ટ, સ્નેપડીલ સહિતની અનેક કંપનીઓના ગ્રાહકોની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. આવા સંજોગોમાં હવે દવાના ઓનલાઈન વેંચાણનું પણ ચલણ વધ્વા પામ્યું છે. જો કે, દવાનું ઓનલાઈન વેંચાણ ગેરકાયદે રીતે તું હોવાની ફરિયાદો બાદ સરકારે તેના પર રોક મુકવાની તૈયારી કરી છે.

કેન્દ્ર સરકારની ડ્રગ રેગ્યુલેટર દ્વારા તાજેતરમાં તમામ રાજ્ય સરકારોને જાણ કરવામાં આવી હતી કે, ઓનલાઈન ફાર્મસી અત્યારે કોઈપણ જાતના ડ્રગ લાયસન્સ વગર ધમધમી રહી છે. આ સેકટર માટે સરકાર દ્વારા હજુ સુધી કોઈ ધારા ધોરણો ઘડવામાં આવ્યા ની. જેી દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ આ પ્રકારનું વેંચાણ વા દેવું જોઈએ નહીં. દવાના ઓનલાઈન વેંચાણને કારણે દર્દીઓના જીવ પર જોખમ તોળાઈ શકે તેમ છે. ઉપરાંત કેટલી દવાઓ એવી હોય છે જેનું વ્યસન દર્દીને લાગી શકે. માટે દવાના ઓનલાઈન વેંચાણ પર પ્રતિબંધ મુકવો જ‚રી બની જાય છે.

7537D2F3 3

છેલ્લા ઘણા સમયી દવાના ઓનલાઈન વેંચાણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. બીજી તરફ દવા સીવાયની વસ્તુઓનું ઓનલાઈન વેંચાણ કરતી ઈ-કોમર્સ કંપનીઓ હાલ નાના વેપારીઓનો રોટલો છીનવી લે તેવી સ્િિત ઉભી ઈ છે. ઓનલાઈન બિઝનેશનું કદ નિરંતર વધી રહ્યું છે જેના નકારાત્મક પરિણામ સનિક બજારો ઉપર જોવા મળી રહ્યાં છે. ભારતમાં બજાર પરંપરાગત રહ્યું છે. વેપારી અને ગ્રાહક વચ્ચેનો સંબંધ માત્ર વ્યાપાર પુરતો સીમીત ન હતો. જો કે, ઈ-કોમર્સ કંપનીના આગમન બાદ ગ્રાહક અને વેપારી વચ્ચે સંબંધોમાં અવિશ્ર્વાસ ઉભા યા છે. કંપનીઓની ગેરમાર્ગે દોરનારી જાહેરાતોના કારણે ઘણી વખત લોકો ભ્રમીત તા જોવા મળે છે. આવી પરિસ્િિતમાં નાના ધર્ંધાીઓના વ્યાપાર-ધંધા ભાંગી પડ્યા છે. દવાનું ઓનલાઈન વેંચાણ સમાજ ઉપર ઘાતક ખતરો સાબીત ઈ શકે તેવી સ્થિતિ  ઉભી ઈ છે. આવી પ્રવૃતિ ઉપર નજર રાખવા કે તેને રોકવાનો કોઈ રસ્તો ની. ઈન્ટરનેટ ઉપર બેફામ વેંચાતી દવાઓના કારણે સરકારના નિયમનું ભાગ થાય  છે. લોકોની તંદુરસ્તી માટે આવી રીતે દવાઓનું વેંચાણ અટકવું જોઈએ તેવી દલીલ ઈ છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ ડ્રગ રેગ્યુલેટર દ્વારા રાજ્ય સરકારોને ઓનલાઈન ફાર્મસી ઉપર નિયંત્રણ રાખવા તાકીદ કરવામાં આવી છે. દેશમાં ઝડપથી વધતી જતી ચીજવસ્તુઓની ઓનલાઈન માર્કેટના હિસ્સો અત્યારે ૨% ચાલી રહ્યો છે જે ૧.૨ બીલીયન અમેરિકન ડોલર સુધીનો કદ ધરાવે છે. આગામી ૨૦૨૨ સુધીમાં આ કદ ૩ ગણુ વધવાની અપેક્ષા છે. અને ઈકોમસેનો હિસ્સો ૫% સુધી પહોચી ને ૪ બીલીયન ડોલર સુધીનો થઈ જશે.

બજારનાં સર્વેક્ષણ કરનારાઓના મતે એફએમસીજીની તમામ શ્રૃંખલાઓ ઝડપથી વિસ્તરી રહી છે. અને ઓનલાઈન માર્કેટીંગના કારણે બજારનો સામાન્ય વ્યવહાર ૪૦૦% જેટલો અસરગ્રસ્ત થશે છૂટક બજારમાં જયારથી ઈકોમર્સ અને ઓનલાઈન વેપાર શ‚ થયો છે. ત્યારથી બજારનો આ નવો યુગ સમાજના દરેક વર્ગમાંથી અભૂતપૂર્વ રીતે આવકાર પામ્યો છે.રિટેલ દસર્વીસીઝના નિષ્ણાંત સારંગ પતના જણાવ્યા મુજબ ગ્રાહકો કિંમતી જીવન જ‚રી ચીજ વસ્તુઓ હવે ઓનલાઈન ખરીદતા થયા છે. મોટા શહેરોમાં તો લોકો તમામ ચીજ વસ્તુઓ ઓનલાઈન મંગાવતા થયા છે. ૧૨% સસૌદર્યપ્રસાધનો ૪૪% ખાધવસ્તુઓ અને ૪૦% વ્યકિતગત વપરાશની ચીજો લોકો ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે. ટુથપેસ્ટ, વાસણ માંજવાના પાવડર પેકીંગ ચા જેવી વસ્તુઓ વધુમાં વધુ લોકો ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે. ભારતની ઈએમસીજી ઈન્ડસ્ટ્રીઝ ઈકોમર્સમાં પરાવર્તીત થઈ રહી છે. સ્માર્ટફોન, ઈન્ટરનેટના ઉપયોગના વધારા સાથે લોકો હવે બજારમાં જવાની માથાકૂટમાં પડયા વગર ચીજ વસ્તુઓ ઓનલાઈન મંગાવતા થઈ ગયા હોવાનો નેઈલસનગ્લોબલ કનેકટના દક્ષિણ એશિયા વિભાગીય પ્રમુખ પ્રશુત બાસુએ જણાવ્યું હતુ જોકે, ભારતને હજુ કેનેડા, સ્કેનકી, નાવ્યા, અને દક્ષિણ યુરોપ અને ચીન અને કોરિયા જેવા ૧.૩ થી ૧૭ થી ૨૦% જેટલુ ઓનલાઈન ખરીદી સુધીનો માર્કેટસર કરવા માટે થોડો સમય લાગશે. પરંતુ અત્યારની રફતારે ઓનલાઈન ખરીદીનું ટ્રેન ચાલી રહ્યું છે. તે જોતા અત્યારે ઓનલાઈન ખરીદીના બજારના ૧.૫% જેટલા હિસ્સાનું ૩ ગણુ ફેલાવો થઈ ને ૨૦૨૨ સુધીમાં ભારતનું ઈ કોમર્સ માર્કેટનું કદ ૪ બિલિયન અમેરિકન ડોલર સુધીપહોચી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.