Abtak Media Google News

શ્રીનાથજી પાઉભાજી, રામ ઔર શ્યામ ગોલા અને જય બાલાજી ફાસ્ટ ફુડે ખડકેલા દબાણો હટાવાયા

શહેરનાં મુખ્ય ૪૮ રાજમાર્ગો પૈકી ૧૨ રાજમાર્ગો પર આડેધડ વાહન પાર્કિંગ અને દબાણ કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. દરમિયાન આજે કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા શહેરનાં રૈયા રોડ પર ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૩ સ્થળે છાપરાનાં દબાણો દુર કરવામાં આવ્યા હતા.

Advertisement

રૈયા રોડ પર શિવમ પાર્ક-૧ અને ૨માં શ્રીનાથજી પાઉભાજી, પુલાવ અને ભેળમાંથી પાર્કિંગમાં કરાયેલું છાપરાનું દબાણ, રામ ઔર શ્યામ ગોલાવાળાએ કરેલાં છાપરાનાં લોખંડનાં એન્ગલ તથા બે પોલ દુર કરવામાં આવ્યા હતા જયારે સત્યમ પાર્ક પાસે જય બાલાજી ફાસ્ટફુડે ખડકેલું છાપરાનું દબાણ દુર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.