Abtak Media Google News

વર્તમાન બોર્ડના સંભવત: અંતિમ બોર્ડમાં ૩ર દરખાસ્તો સર્વાનુમતે મંજુર

નગરપાલિકાની વર્તમાન બોડી ની ટર્મ આગામી બે ત્રણ માસમાં પૂર્ણ થવાં માં છે ત્યાંરે અંતિમ કહી શકાય તેવું જનરલ બોર્ડ ટાઉનહોલ માં યોજાયું હતું.જેમાં વેપારી આગેવાનો પણ હાજર રહ્યા હતાં અને પાંચ વર્ષની કામગીરી ને બિરદાવી હતી.

ટાઉનહોલ માં શોશ્યલ ડિસ્ટન્સ સાથે યોજાયેલ જનરલ બોડઁ માં બત્રીસ એજન્ડાઓ સર્વાનુમતે પસાર થવાં પામ્યાં હતાં.

કોરોનાને કારણે લોકમેળો રદ કરતો ઠરાવ કરવાં વિપક્ષી સદસ્યો યતિશભાઇ દેસાઇ તથાં ઓમદેવસિંહ જાડેજા માંગ કરી હતી. જેનાં જવાબમાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા એ  રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ નિર્ણય લેવાશે તેવું જણાવ્યું હતું. પ્રમુખ અશોકભાઈ પીપળીયા તથાં શાસક પક્ષ નાં નેતા રાજેન્દ્રસિંહ જાડેજા એ પાંચ વર્ષની કામગીરી જણાવી તમામ સદસ્યો નો સહકાર આપવાં બદલ આભાર વ્યક્ત કર્યો હતો.પાલીકા નાં કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓ નું સન્માન કરાયું હતુ.સમરસતા નાં માહોલ વચ્ચે યોજાયેલ જનરલ બોર્ડમાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણ  બેન આચાર્ય,કારોબારી અધ્યક્ષ પૃથ્વી સિંહ જાડેજા,ચિફ ઓફિસર પટેલ સહીત સદસ્યો ઉપરાંત વેપારી મહામંડળ નાં પ્રમુખ ગોપાલભાઇ ટોળીયા,ગોરધનભાઈ પરડવા,વિનુભાઇ વસાણી, નલીનભાઇ જડીયા,નિલેશ ધુલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.