Abtak Media Google News

રકતદાતાઓને ભેટ, મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાશે

રાજપૂત સમાજ અગ્રણી સમાજ શ્રેષ્ઠીશ્રી સ્વ.બેચરભા પાંચાભા પરમારની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મહા રક્તદાન કેમ્પ તથા ભગવાન શ્રી નાથજી ની ઝાંખી યોજાશે.

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા ચંદુભાઈ પરમાર જણાવ્યું હતુ કે, રાજકોટ રાજપૂત સમાજ અગ્રણી સમાજ શ્રેષ્ઠીશ્રી  સ્વ. બેચરભા પાંચાભા પરમારની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે સવારે મહા રક્તદાન કેમ્પનુ આયોજન કરેલ છે. આ મહા રક્તદાન કેમ્પમાં તા .02/05/2023 મંગળવારના રોજ શ્રી બેડીપરા રાજપૂત વાડી 5/15 રણછોડનગર ખાતે સવારે 9:00 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક અને રેડક્રોસ બ્લડ બેન્ક ના સહકારથી યોજાશે અને રક્તદાતાઓને ભેટ, મોમેન્ટો આપી પ્રાત્સાહિત સન્માનિત કરાશે તથા રાત્રે શ્રીજી પૂર્ણિમા સત્સંગ મંડળની ભગવાન શ્રી નાથજીની ઝાંખીના ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરેલ છે જે રાત્રે 09:00 થી 12:00 વાગ્યા સુધી  અટલબિહારી વાજપાઈ ઓડિયોરિયમ પેડક રોડ ખાતે યોજાશે આ કાર્યક્રમમાં પધારવાનું તથા સર્વે મિત્ર મંડળ સહિત પધારવા ભાવભર્યું નિમંત્રણ સ્વ.પાંચાભા કાળાભા પરમાર અને સ્વ.બેચરભા પાંચાભા પરમાર પરિવાર તરફથી પાઠવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.