Abtak Media Google News

શ્રીનાથજીની ઝાંખી તથા ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાશે

જલારામ બાપાની 223 મી જન્મ જયંતી નિમિત્તે રઘુવંશી યુવા કલબ દ્વારા સંગીત સંધ્યા તથા શ્રીનાથજી ની ઝાંખી તારીખ 30.10 રવિવારે સાંજે આઠ કલાકે રાખેલ છે તેમજ 31.10 જલારામ જયંતી એ મહા આરતી તેમજ મહાપ્રસાદનો આયોજન કરવામાં આવેલ છે. રઘુવંશી યુવા કલબના કાર્યકરો ‘અબતક’ મિડિયા હાઉસની  મુલાકાતે આવેલ હતા જેમાં હાર્દિક ધીરેનભાઈ માણેક, અભી ધવલભાઈ કારિયા, નિખિલ રાજાણી તેમજ વિકલ્પ હાથી એ કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી.

જલારામ જયંતિ અંતર્ગત ભક્તિ સંગીત કાર્યક્રમ તથા મહાપ્રસાદ કાર્યક્રમ ગાંધીનગર એક સર્વેશ્વર ચોક ગાંધીગ્રામ ખાતે રાખવામાં આવેલ છે જેમાં રઘુવંશી સંત શિરોમણી પરમ પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી અંતર્ગત રઘુવંશી યુવા કલબના પરિવારજનો થા ભાઈઓ બહેનો દ્વારા કાર્યક્રમ યોજાના છે જેમાં પ્રમુખ રવિ માણેક ,આયોજક રાજ રુવાડા, ચંદ્રેશ રાચ્છ, વિવેક ધોલેરા પરાગ રતનધાયરા, શ્રદ્ધા પુજારા, હિરેન જોબનપુત્રા, હાર્દિક માણેક, મૌલિક વસાણી, જયેશ બાબારી, સંદીપ રાયચુરા, હર્ષ કોટેચા, દિપક રાજાણી,સંદીપ ઉનડકટ દ્વારા જેમાં ઉઠાવવામાં આવી છે.કાર્યક્રમની વધુ માહિતી માટે 90331 51110 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.