Abtak Media Google News

પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન સરહદે તણાવ જોવા મળી રહ્યો છે.આ દરમિયાન બનાસકાંઠાની કુમાર બોર્ડર પાસેથી ઘૂસણખોરી કરતો મહમ્મદ અલી નામનો પાકિસ્તાની યુવાન ઝડપાયો છે.

6 માર્ચના રોજ બોર્ડર પિલ્લર નંબર 1050 પાસેથી એક 30 વર્ષનો પાકિસ્તાની નાગરિક ઝડપાયો હતો. આમ એક મહિનામાં બે પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. નાગરિકને બીએસએફે ઝડપી લઈ પૂછપરછ હાથધરી હતી. તેમજ કચ્છ અને બનાસકાંઠા સ્થિત ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ સાબદી થઈ છે.

બીએસએફના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે,આ શખ્સ બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ફેન્સિંગ વગરના વિસ્તારમાંથી ઘૂસ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.