Abtak Media Google News

શહેરમાં રૈયાધાર વિસ્તારમાં આવેલી બંસીધર સોસાયટીમાં શેરી નં.૧ માં રહેતી કાજલબેન નારણભાઇ ભોરીયા નામનાી ર૪ વર્ષની પરિણીતાએગત સાંજે ગોંડલ રોડ પર રેલવે ટ્રેક પરથી પસાર થતી અમદાવાદ-સોમનાથ એકસપ્રેસ ટ્રેન નંબર ૧૯૧૧૯ નીચે ઝંપલાવી જીવન ટુંકાવ્યાની ધટના આજીડેમ પોલીસ મથકમાં નોંધાઇ હતી. ઘટનાની જાણ થતાં એ.એસ.આઇ. પંકજભાઇ દિક્ષીત સહીતના સ્ટાફે મૃતદેહને પોર્સ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારજનોને જાણ કરી હતી.

7537D2F3 3

કાજલબેન ભોરીયા ત્રણ વર્ષનો લગ્ન ગાળો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ધટનાની નોંધ કરી પરિણીતાના આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.