રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતનો આજે જન્મ દિવસ છે. તેઓની વડોદરા રેન્જમાંથી બદલી સાથે રાજકોટ પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રાજકોટ કાર્યક્રમ દરમિયાન સુંદર બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવા બદલ તેમની કામગીરી બિરદાવવામાં આવી હતી. રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જાતે જ સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળી લુખ્ખાઓની શાન ઠેકાણે લાવી દીધી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે આગવી કુન્હેથી સ્ટોન ક્લિરના આરોપીને ઝડપી એક સાથે ત્રણ હત્યા અને હત્યાની કોશિષનો ભેદ ઉકેલવા ઉપરાંત કરોડોની જાલીનોટ, જામનગરના વેપારીની સોપારી લઇ હત્યા કરવા જતા દાઉદ ગેંગના નાસીકના શાર્પ શુટરની ધરપકડ, લાખોની મોબાઇલ ચોરી, લૂંટ અને મોટી સંખ્યામાં ગેરકાયદે હથિયાર વેચાણનું નેટવર્ક પકડી પાડયું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતને ‘અબતક’ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેઓને શહેરના પોલીસ અધિકારીઓ, સ્નેહીઓ અને મિત્રો દ્વારા મોબાઇલ નંબર ૯૯૭૮૪૦૫૨૯૯ પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
Trending
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર
- મિનિ વવાઝોડાએ વીજતંત્રને મોટું નુકસાન કર્યું સૌરાષ્ટ્ર-કચ્છમાં 8 ગામોમાં હજુ અંધારપટ્ટ: 632 ફીડરો બંધ
- SC એ પતંજલિની ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં IMAના વડાને ફટકાર લગાવી