Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. પૂ‚ષોતમજી મ.સા.ના સુશિષ્ય ગોંડલ ગચ્છ શિરોમણી પૂ, જશરાજજી મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ. સૂર્ય વિજય મ.સ.ના સુશિષ્યા પૂ. અનિલાબાઈ મ.સ. ૭૩ વર્ષની વયે ૫૩ વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.૧૬.૭ના રાત્રે ૪.૩૦ કલાકે કાળધર્મ પામ્યા છે.

Advertisement

મહારાષ્ટ્રનાં પૂર્વ પ્રધાન પ્રકાશ મહેતા પ્રેરિત ગંગાવાડી, ઘાટકોપર (વેસ્ટ) ખાતે છેલ્લા ૨ વર્ષથી સ્થિરવાસ હતા. બાબરાના રત્નકુક્ષિણી માતા રેવાબેન દામોદરભાઈ સંઘરાજકાના પુત્રી હતા. નાનાબેન પૂ. ત‚બાઈ મ.સ. સેવામાં હતા હિંગવાલાલેન મોટા ઉપાશ્રયેથી ૮ વાગા પાલખી યાત્રા નીકળી હતી.

પૂ.અનિલાબાઈ મ.સ.એ વિ.સં.૨૦૨૩, વૈશાખસુદ ૨ના સુલતાનપર સંઘમાં દીક્ષા અંગીકાર કરેલ કલકતામાં પૂ. ધીરજમૂનિ મ.સા.ની નિશ્રામાં રવિવારે ગુણાનુવાદ યોજાશે. આજે સવારે હિંગવાલા લેન મોટો ઉપાશ્રય-ઘાટકોપરથી પાલખીયાત્રા નીકળી હતી. પ્રવિણભાઇ કોઠારી, ચંદ્રકાંતભાઇ શેઠ, ઇશ્ર્વરભાઇ દોશી, સુરેશભાઇ કામદાર અને દિલિપભાઇ પારેખે સાઘ્વી રત્ના પૂ. અનિલાબાઇ મ.સ.ને ગુણાંજલિ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.