Abtak Media Google News

રાજકોટ શહેરની બહારના ખૂબ મોટા અને સુંદર ઝૂ. આવ્યું છે તેમનું 10 વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું છે  કુટુંબ અને મિત્રો સાથે ફરવાનું સ્થળ છે નું   ખુલ્લા વિસ્તારમાં મોટાભાગના પ્રાણી પક્ષીઓ જોવા મળે છે  સૌથી આકર્ષક અહીં સાપ ઉત્ખનિત છે. બાળકો પસંદનું સ્થળ છે  પાર્કની અંદર સુધી પહોંચવા માટે ગોલ્ફ કાર સેવા પૂરી પાડે છે. શિયાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં રાખવા આવેલા સિંહ વાઘ દીપડા, ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર,સરિસૃપ કુળના પ્રાણીઓ સહિત 557 પ્રકારના પ્રાણી પક્ષીઓેને કડકડતી  ઠંડીથી રક્ષણ આપવા ઘાસ-કંતાન સહિતની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે સાથોસાથો શિયાળાની ઋતુને અનુસંધાને ખોરાકમાં પણ વધારો કરાયો છે.

Advertisement

જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 557 વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. તે મુજબ હાલ શિયાળાની ઋતુ ચાલતી હોય, છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધેલ છે. આથી ઝૂ ખાતેના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાણી ઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 557 વન્ય પ્રાણી-પક્ષીઓ કરે છે વસવાટ

બાગ બગીચા અને ઝૂ સમિતિનાં  ના પ્રેસિડેન્ટ ડોક્ટર રાકેશ હીરાપરાજણાવ્યું છે કે, શિયાળાની ઋતુુમાં ઠંડીથી રક્ષણ આપવા સિંહ, વાઘ, દિપડા, રીંછ વગેરે મોટા પ્રાણીઓ માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવ્યા છે. જેથી ઠંડા પવનને પ્રવેશતો અટકાવી શકાશે. આવી જ રીતે,ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે.

રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેથી માટલું ગરમ થાય છે અને સાપ પોતાના શરીરનું તાપમાન સમતુલીત કરવા માટે માટલાંની બહારના ભાગે વિંટાઇ જાય છે.

માર્શ મગર અને ઘડિયાળ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે. તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે અને રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવ્યા છે. નાના પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરમાં ખાસ પ્રકારની ગુફા બનાવવામાં આવેલ છે અને બારી -દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરવામાં આવેલ છે. જ્યારે જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવ્યું છે. પક્ષીઓના પાંજરામાં રાત્રી દરમિયાન બેસવા માટે

ખાસ પ્રકારના આર્ટીસ્ટીક ઘર, લાકડાના બોક્ષ તથા માટલા ગોઠવવામાં આવ્યા છે. જેની અંદર લાકડાનો છોલ તથા સુંકું જીણું ઘાસ પાથરવામાં આવ્યું છે. જેનો પક્ષીઓ બ્રીડીંગમાં પણ ઉપયોગ કરે છે. શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓના  ખોરાકમાં 10 થી 15 ટકા જેટલો વધારો કરવમાં આવ્યો છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. મગર, ઘડિયાલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન  ધ્યાન રાખવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.