Abtak Media Google News

મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને ગાર્ડન અને ઝુ કમિટી ચેરમેન અનીતાબેન ગોસ્વામીની જાહેરાત

સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો આધુનિક અને પર્યાવરણની સમતુલા જળવાય એ મુજબ વિકાસ કરવામાં આવેલ છે.જેથી રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રભરનાં પ્રવાસીઓ માટે હરવા-ફરવાની સાથોસાથ જ્ઞાન-ગમ્મત માટેનુ ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે.

જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન અસંખ્ય મુલાકાતીઓ ઝૂ ખાતે પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે દિવાળીથી લાભપાંચમ સુધીમાં અંદાજિત 60,000 મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે.

નિયમિત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે નુતન વર્ષના દિવસે શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુવિધા માટે અને મુલાકાતીઓ નુતન વર્ષનાં દિવસે પાર્કની મુલાકાત લઇ શકે તે માટે તા.05ને શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુન રાખવામાં આવશે. ઝૂ નો સમય સવારે 9.00 વાગ્યાથી સાંજના 5.30 (એન્ટ્રી ટિકિટ મેળવવા) રહેશે,  તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને ગાર્ડન અને ઝું કમિટી ચેરમેન અનીતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 57 પ્રજાતિઓનાં કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયન રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતિઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે.

આ ઉપરાંત મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગે માહિતી મળી રહે અને વન્યપ્રાણી સંરક્ષણ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુ આધુનિક ઇન્ટરપ્રિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં વિવિધ ગેલેરીઓ જેવી કે, પ્રાણી સંગ્રહાલય ગેલેરી, ગીરની ઝાંખી, કચ્છની ઝાંખી, સસ્તન પ્રાણીઓની ગેલેરી, પક્ષી ગેલેરી, સરિસૃપ ગેલેરી વિગેરે બનાવી વન્યપ્રાણી-પક્ષીઓનાં લાઇફ સાઇઝ મોડેલ્સ, ઇન્ટરેક્ટીવ એક્ટીવીટી તથા વિવિધ માહિતી દર્શાવતી પેનલ્સ પ્રદર્શિત કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવિત થાય છે.

દિવાળીના તહેવારમાં ગાંધી મ્યુઝિયમ ખૂલ્લુ રહેશે

દિવાળી તહેવારમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ શહેરીજનો માટે ખુલ્લું રહેશે તેવી મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

દિવાળીના તહેવારોના દિવસોમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે આવતા મુલાકાતીઓ માટે જાહેર રજાના દિવસોમાં પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મજા મળી શકે તે માટે રાબેતા મુજબ ખુલ્લું રાખવામાં આવશે. તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.મહાત્મા ગાંધી મ્યુઝીયમ જાહેર જનતા માટે સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી મુલાકાત માટે ચાલુ રહેશે. જેની શહેરીજનોએ નોંધ લેવા વિનંતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.