Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ બુધવાર એટલે કે આજ રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની 122મી જયંતિ પર લાલ કિલ્લામાં સુભાષ ચંદ્ર બોઝ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ  લાલ કિલ્લામાં અંદર બનાવવામાં આવેલ 3 સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. આ સંગ્રહાલય નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને ઇંડિયન નેશનલ આર્મી પર આધારિત છે. તેમાં બોઝ અને આઈએનઈ સંબંધિત શિલ્પકૃતીને દર્શાવવામાં આવ્યું છે. જેમાં નેતાજી દ્વારા વાપરેલ વસ્તુ જેમકે તેની ખુરશી , તલવાર, પદક, વરદી અને અન્ય સમાન પણ રાખવામા આવ્યો છે.

તે સિવાય ” યાદ એ જલિયા ” સંગ્રહાલયનું પણ ઉદ્ધાટન કર્યું છે. જે 1919 જાલિયાવાલા નરસંહારના ઇતિહાસના લોકોને રૂબરૂ કરાવશે. તેની સાથે વિશ્વ યુદ્ધ-1ના ભારતીય સૈનિકોની વીરતાને પણ પ્રદર્શિત કરશે.

ત્રીજો સંગહાલય 1857ના સ્વતંત્રતા સંઘર્ષના ઐતિહાસિક ગાથાને પ્રસ્તુત કરશે. જે તે દરમિયાન ભારતીય દ્વારા થયેલ બલિદાનને દર્શાવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.