Abtak Media Google News

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેહાવસાન થયું હતું. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર  સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE કીટ પહેરીને કરવામાં આવ્યા હતા.

વિશ્વભરના હરિભક્તો તથા સંતોએ https://www.swaminarayangadi.com વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન અંતિમ દર્શન કર્યા તેમજ અંતિમવિધિમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી છે.

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.