Abtak Media Google News

તા.૨૦ જુનના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશભરના કિશાનો સાથે સીધી વાત : રાજકોટ જીલ્લા ભાજપા અને કિશાન મોરચા દ્વારા ૨૦૪ ગ્રામીણ શક્તિકેન્દ્રો અને ૫૩ શહેરી શક્તીકેન્દ્રો ઉપર લાઈવ પ્રસારણ વ્યવસ્થા.

રાજકોટ જીલ્લા ભાજપા પ્રમુખશ્રી ડી.કે.સખીયા તથા મહામંત્રીશ્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરા જણાવે છે કે, તા.૨૦ જુન સવારે ૯.૦૦ કલાકે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરના કિશાનો સાથે નમો એપ તેમજ અન્ય માધ્યમો દ્વારા કિશાનો સાથે સીધી વાત કરવાના હોય જેના પ્રસારણ અંગે રાજકોટ જીલ્લા ભાજપા કિશાન મોરચાના પ્રમુખશ્રી વિજયભાઈ કોરાટ તથા મહામંત્રીશ્રી હરદેવસિંહ જાડેજા, હરસુખભાઈ સોજીત્રા દ્વારા રાજકોટ જીલ્લાના ૨૦૪ ગ્રામીણ શક્તીકેન્દ્રો તથા ૫૩ શહેરી શક્તિકેન્દ્રો પર ખેડૂતો સાથે સામુહિકતામાં સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

રાજકોટ જીલ્લા ભાજપા કિશાન મોરચો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાશે : વિજયભાઈ કોરાટ

વધુમાં, કિશાન મોરચાના પ્રમુખશ્રી વિજયભાઈ કોરાટએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તમામ શક્તીકેન્દ્રો પર TV, રેડિયો, નમો એપ, મોબાઈલ તેમજ અન્ય માધ્યમો દ્વારા તમામ શક્તીકેન્દ્રો ઉપર વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપરાંત મોટામવા ખાતે બીગસ્ક્રીન ઉપર માન.વડાપ્રધાનશ્રી ખેડૂતો સાથેની સીધીવાતનું પ્રસારણ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં કિશાનો ઉપસ્થિત રહે તેવો કોરાટ, જાડેજા, સોજીત્રાએ અનુરોધ કરેલ છે. તેમ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.