Abtak Media Google News

અબતકના આંગણે ઉ૫સ્થિત રહી પાણીની સમસ્યા દૂર કરવા બદલ આભાર વ્યકત કરતા દાઉદ વ્હોરા સમાજના આગેવાનો

નર્મદા નદીના નીરના વધામણા તથા પ્રધાનમંત્રી મોદીજી રાજકોટના આંગણે પધારી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રીના રાજકોટના આગમનને વધાવવા માટે દાઉદ વ્હોરા સમાજને ત્રણ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. તે અંગે દાઉદી વ્હોરા સમાજના આગેવાનોએ ખુશી વ્યકત કરી હતી. તેમજ રાજકોટની વર્ષોથી જૂની પાણીની સમસ્યા દૂર થઇ તે બદલ પ્રધાનમંત્રી મોદી તથા મુખ્યમંત્રી ‚પાણીની પ્રસંશા કરી હતી.આ તકે દાઉદી વ્હોરા સમાજના પ્રેરક ડો. સૈયદના સાહેબ (ત.ઉ.સ.) તથા રાજકોટના અમીન સાહેબ તથા મુસ્તુફાભાઇ સાહેબની રાહબરી હેઠળ દાઉદી વ્હોરા સમાજના જાહેર સંપર્ક કમીટીના સભ્યો શેખ યુસુફભાઇ જોહર કાર્ડસ વાળા, શાકીરભાઇ કાચવાલા, શબ્બીરભાઇ ભારમલ, અસગરભાઇ વંથલી વાળા, અબ્બાસભાઇ ત્રવાદી, જાબીરભાઇ લોટીયા તથા શબ્બીરભાઇ કાચવાલાએ અબતકના આંગણે ઉ૫સ્થિત રહી આ તકે પ્રધાનમંત્રીનો તથા મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.