Abtak Media Google News

રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સી.એમ. પૌષધ શાળા સ્થિત રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના ૪૮માં જન્મોત્સવ અવસરે માનવતા મહોત્સવ ઉપલક્ષે જૈનમ ટીમ તથા શેઠ ઉપાશ્રયના ઉ૫ક્રમે તા. ૨૯-૯ ને શનિવારે સવારે ૯ થી ૧ શેઠ ઉપાશ્રય ખાતે જૈનો માટે ડાયાબીટીશ અને થાઇરોઇડના સારવાર માટે નિ:શુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પ રાખવામાં આવ્યું છે. જેમાં હોમિયોપથી ચિકિત્સક ડો. એન.જે. મેધાણી સેવા આપશે.

આ કેમ્પમાં ૧૦૦ વ્યકિત ડાયાબીટીસ માટે ૧૦૦ વ્યકિત થાયરોઇડ માટે નામ નોંધવામાં આવશે. જેઓને પરીણામ મળે ત્યાં સુધી તેમની સારવાર ચાલુ રાખવામાં આવશે.

આ કેમ્પમાં જોડનાર વ્યકિતઓ કેમ્પમાં આવે ત્યારે તેમનો સુગર રીપોર્ટ અને જેમને થાયરોઇડ અંગે પ્રશ્ર્ન છે તેમણે થાયરોઇડ અંગેનો રીપોર્ટ સાથે લાવવા અપીલ કરાઇ છે. હોમિયોપથી દવા આડઅસર વિનાની છે. હોમિયોપથી દવા કુદરતી નિયમ પ્રમાણે રોગ પ્રતિકાર શકિત વધારે છે.

આ કેમ્પમાં જોડાવવા અને નામ નોધાવવા ‚ષભ શેઠ ૯૩૭૪૮ ૩૯૭૪૭, નિલેશ ભાલાણી ૯૮૨૪૪ ૨૯૭૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.