Abtak Media Google News

સ્વામીનારાયણ ચોકમાં સી.આર.પાટીલ અને ગોર્વધન સોસાયટીમાં ગોરધન ઝડફીયાની ચૂંટણીસભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આજે સાંજે રાજકોટમાં ત્રણ નેતાઓની સભાઓનું આયોજન તથા વ્યવસ્થા શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મિરાણીના માર્ગદર્શનમાં સમગ્ર શહેર ભાજપ સંગઠન દ્વારા થઈ રહી છે.ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અગ્રણી જે.પી.નડ્ડા રાજકોટ ખાતે વિધાનસભા-68ના ઉમેદવાર ઉદયભાઈ કાનગડના મતવિસ્તાર ખાતે બાલક હનુમાન મંદિર પાણીનો ધોડા, પેલેશ રોડ રાજકોટ ખાતે સાંજે 7 વાગે સભા સંબોધશે.

Untitled 1 Recovered Recovered Recovered 90

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ વિધાનસભા-70 દક્ષીણના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના પ્રચાર અર્થે સ્વામીનારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજ પાછળ રાજકોટ ખાતે સાંજે 7 વાગે સભાને સંબોધન કરશે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા રાજકોટ વિધાનસભા-69 પશ્ર્ચિમના ઉમેદવાર શ્રીમતી દર્શિતાબેનના પ્રચાર અર્થે વોર્ડ નં.8 ના ભાજપના કાર્યાલય ગોર્વધન સોસાયટી નજીક રાજકોટ ખાતે સાંજે 7:30 વાગે સભાને સંબોધન કરશે. તેમ ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.