Abtak Media Google News
  • સોમનાથ, સુરતની ચોર્યાસી બેઠક અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર જે.પી. નડ્ડા ચૂંટણી સભા સંબોધશે
  • જસદણમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા, રાજકોટ ગ્રામ્ય અને જેતપુરમાં ગોરધનભાઇ ઝડફીયાની સભાઓ

ગુજરાતમાં સતત સાતમી વખત કમળ ખિલવવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જોશ શોરથી ચુંટણી પ્રચાર શરુ કરી દેવામાં આવ્યો છે. આગામી 19 અને ર0મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસમાં અલગ અલગ આઠ સ્થળોએ પીએમ જંગી ચુંટણી સભા સંબોવશે. દરમિયાન આગામી શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા ગુજરાતના પ્રયાસે આવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્રમાં બે અને દક્ષિણ ગુજરાતમાં એક ચુંટણી સભા સંબોધશે.

ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા 18મી નવેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસ દરમિયાન સોમનાથ વિધાનસભા, સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં જંગી ચુંટણી સભાઓ સંબોધશે. આ ઉપરાંત 19 અને ર0મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બે દિવસમાં અલગ અલગ આઠ ચુંટણી સભાઓ ગજવશે 18મી નવેમ્બરે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા જસદણ – વિંછીયા વિધાનસભા બેઠક પર ચુંટણી સભા સંબોધશે. જયારે પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા જેતપુર અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચુંટણી સભા યોજાશે જયારે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ પણ 18મીએ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠકમાં ચુંટણી સભા ગજવશે.

પ્રથમ તબકકાના મતદાનના આડે હવે 14 દિવસનો સમય જ બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષભાજપ સહીતના તમામ રાજકીય પક્ષોએ પુરજોશમાં ચુંટણી પ્રચાર શરુ કરી દીધો છે.

ચાર  બેઠકો માટે ઉમેદવાર નકકી  કરવામાં ભાજપ ગુંચવાયુ !

ખેરાલુ, માણસા, ગરબાડા અને માંજલપુર બેઠક માટે  ગૃહમંત્રી અમિત શાહની કસરત છતા ઉમેદવાર નકકી થતા નથી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 178 બેઠકો  માટે ભાજપ  દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર  ઘોષણા કરી દેવામાં આવી છે. વઢવાણ બેઠક માટે ઉમેદવાર છેલ્લી ઘડીએ બદલવામાં આવ્યા છે. જોકે હજી ચાર બેઠકો માટે ભાજપ ઉમેદવાર નકકી  કરી શકતુ નથી ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા મેરેથોન  મીટીંગ કરવામાં આવી હોવા છતાં  ખેરાલુ,  માણસા,  ગરબાડા અને માંજલપુર બેઠક માટે હજી સુધી ઉમેદવારો જાહેર કરવામા આવ્યા નથી. આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરી દેવાશે તેવું  મનાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.