Abtak Media Google News

સુરત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતું જ હોય છે. જીલ્લામાં દિવસે-દિવસે ક્રાઈમની ઘટના સામે આવતી હોય છે ત્યારે સુરતમાં વધુએક હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના પુણાગામ વિસ્તારની છે જ્યાં સીતારામનગર સોસાયટીમાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી રૂમ બહારથી બંધ કરી નાસી ગયો હતો.

રૂમની બહાર લોહીના ડાઘ જોતા પાડોસીએ કરી મકાનમાલિકને જાણ

પત્નીની અત્યંત ક્રુરતાથી હત્યા કર્યા બાદ લાશને રૂમ બહાર રાખી દેવામાં આવી હતી. રૂમની બહાર લોહીના ડાઘ અને બારીમાંથી મહિલા લોહીલુહાણ હાલતમાં જોઇ આસપાસના પડોશીઓએ રૂમ માલિકને જાણ કરી હતી. બાદમાં માલિક અને પડોશીઓએ રૂમનો દરવાજો તોડી અંદર જોતા એક મહિલાની હત્યા કરાયેલી લાશ પડેલી હતી. મહિલાને ગળા, છાતી અને હાથ પર તિક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા.

રાત્રીના સમયે બન્નેના ઝઘડાના અવાજ આવતા હતા: પાડોશી સોનીબેન

હત્યા બાબતે પડોશી સોનીબેન દ્બારા પોલીસને જણાવ્યું હતું કે, 28મી ઓકટોબરે ચંદ્રશેખર શર્મા અને તેની પત્ની સંગીતા રહેવા આવ્યા હતા અને રાત્રીના સમયે બન્ને ઝઘડો કરતા હોવાનો અવાજ આવતો હતો. થોડા સમય પછી પતિ ચંદ્રશેખર બહારથી રૂમને તાળું મારી જતો રહ્યો હતો. પડોશી મહિલાએ પતિને વાત કરી અને તેના પતિએ મકાનમાલિકને જાણ કરી હતી. મકાનમાલિકે ચંદ્રશેખરને કોલ કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. પુણા પોલીસે હત્યારા પતિ ચંદ્રશેખર સદાનંદ શર્મા(રહે,સીતારામનગર સોસા,પુણાગામ,મૂળ રહે,ઝારખંડ) સામે ગુનો નોંધી તેને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.