Abtak Media Google News

રાજય સરકાર દ્વારા વધુ બે આઇએએસની બદલી : ભાવનગરના કલેકટર ડી.કે. પારેખને મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓએસડી તરીકે મુકાયા

રાજય સરકાર દ્વારા ગત શનિવારે 109 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવ્યા બાદ ગઇકાલે બે સંનદી અધિકારીની બદલી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે ફરજ બજાવતા વી.ડી. વાઘેલાની હકાંલપટ્ટી કરાયા બાદ ગઇકાલે મોડી સાંજે બે આઇએએસ અધિકારીની બદલીના હુકમ કરવામાં આવ્યા હતા. ભાવનગર જીલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા વર્ષ 2009 ની બેચના સંનદી અધિકારી ડી.કે. પારેખની બદલી કરવામાં આવી છે તેઓને મુખ્યમંત્રી કાર્યાલયના ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

જયારે ગાંધીનગરમાં માહીતી ખાતાના ડિરેકટર તરીકે ફરજ બજાવતા આર.કે. મહેતાની ભાવનગર જીલ્લાના કલેકટર તરીકે નિયુકિત કરવામાં આવી છે.

વી.ડી. વાઘેલા ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થતા તેઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. સીએમઓમાંથી એક પછી એક ત્રણ અધિકારીઓની છુટી કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.