Abtak Media Google News

શહેર ભાજપ કાર્યાલયે વિધાનસભા 68 માટે કાર્યકરોની બેઠક યોજાઈ

ગુજરાત આખા દેશને દિશા આપી રહયુ છે, ત્યારે આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સૌ કાર્યર્ક્તાઓ એક થઈને લડે : પ્રદિપભાઈ વાળા

શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ વિધાનસભા-68માં સમાવિષ્ટ વોર્ડ-3, 4, પ,6, 1પ,16ના વોર્ડપ્રભારી, પ્રમુખ-મહામંત્રી, કોર્પોરેટરો, વોર્ડમાં આવતા હોદેદારો, મોરચાના પ્રમુખ- મહામંત્રીની એક બેઠક રાજયના મંત્રી અરવીંદભાઈ રૈયાણી, વિધાનસભા-68ના પ્રભારી પ્રદિપભાઈ વાળા, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

આ બેઠકમાં માર્ગદર્શન આપતા અરવીંદ રૈયાણી અને પ્રદિપભાઈ વાળાએ આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સંગઠનાત્મક બાબતો અંતર્ગત વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે દેશ વિકાસની યાત્રામાં એક મહત્વના વળાંક પર ઉભો છે જયારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે આઝાદીના 7પમાં વર્ષની ઉજવણી કરી રહયા છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ સૌનો

સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્ર્વાસ, સૌનો પ્રયાસ ના માર્ગ પર આગળ વધી રહયો છે, જે દરેક ભારતીયને માત્ર સશક્તિકરણ જ નહી પરંતુ સફળતાની નવી ઉડાન પણ ઉડાવી રહયો છે ત્યારે ગુજરાત આખા દેશને દિશા આપી રહયુ છે. ત્યારે આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં સૌ કાર્યર્ક્તાઓ એક થઈને લડે, કેન્દ્ર અને રાજય સરકારની જનહિતકારી અને પ્રજાલક્ષ્ાી યોજનાઓ સૌ સમાજ અને છેવાડાના માનવી સુધી તેમજ ઘર-ઘર સુધી લાભ પહોંચે તે માટે કટીબધ્ધ બને અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરે.આ બેઠકનું સંચાલન કિશોર રાઠોડએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.