Abtak Media Google News

હજારો હરિભકતોએ ભગવાનની પ્રતિમા પર જલાભિષેકનો લાભ લીધો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન રાજકોટ દ્વારા તારીખ 22 થી 26 ડિસેમ્બર સુધી રાજકોટની મવડી ચોકડીથી અઢી કિલોમીટર દૂર આવેલ મવડી કણકોટ રોડ પર ભવ્ય અમૃત મહોત્સવ યોજાનાર છે. આ મહોત્સવ અંતર્ગત સ્થળ પર સહજાનંદ નગરમાં 75 ફૂંડી શ્રીધર યજ્ઞ અને એક હજાર આઠ 1008 જળયાગ યોજાશે . બંને પ્રકારના યજ્ઞનું આધ્યાત્મિક દ્રષ્ટિએ અનેરૂં મહત્વ છે.

1212

ભારતીય સંસ્કૃતિમાં સમષ્ટીના હિત અર્થે , સમગ્ર બ્રહ્માંડના અદ્રશ્ય તત્વો  : પૃથ્વી , જળ , વાયુની સમતુલા માટે , જીવનચક્રને સુચારુ નિભાવવા માટે , વિવિધ દેવતાઓની પ્રસન્નતા માટે , ઐશ્વર્યની પ્રાપ્તિ માટે , સકામ અને નિષ્કામ યજ્ઞોની પરંપરા ઋષિ-મુનિઓએ પ્રસ્થાપિત કરી છે .

75 યજમાનો સફેદ ધોતિ પહેરશે અને પીળી શાલ ઓઢીને યજ્ઞનો લાભ લેશે. પવિત્ર નિવ્ર્યસની ભૂદેવો મંત્રોના ગાન સાથે યજમાનોને આહૂતિઓ અપાવશે.

Dsc06785

આ પ્રસંગે શાસ્ત્રોમાં બતાવેલા વિવિધ યજ્ઞોની વાત રાજ્કોટ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિવિધ કર્મકાંડ કરાવી રહેલા શ્રી કિશોરભાઈ દવેએ કહ્યું હતું કે રાજસૂય યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, વાજપેય યજ્ઞ, મારૂતિ યાગ, રૂદ્રયાગ અને વિષ્ણુયાગ વિશેષણે પ્રખ્યાત છે. તેના ફૂંડો પણ જે તે દેવોની પ્રસન્નાર્થે વિવિધ પ્રકારના હોય છે. જેમાં શ્રીધર ફૂંડ – કમળ ફૂંડ, ચોરસ ફૂંડ, અર્ધવર્તુળ આકારનો ફૂંડ, ત્રિકોણ આકારના કૂંડ, ષટકોણ ફૂંડ વગેરે આકાર પ્રકારના ફૂંડો કહેલાં છે. અહીં રાજકોટના કણકોટ મવડી રોડ ઉપર સહજાનંદનગરમાં યોજાનાર અમૃત મહોત્સવમાં શ્રીધર ફૂંડી યજ્ઞ યોજાશે. શ્રી એટલે લક્ષ્મીજી. તેમનું આસન કમળ છે. કમળાકાર ફૂંડને શ્રીધર કહે છે. 75 ફૂંડોને સમાવતી યજ્ઞશાળા પણ કમળાકાર બનાવાશે. કમળની પાંખડીઓમાં ફૂંડોની રચના કરાશે. આ યજ્ઞશાળામાં પરિવાર સહિત ગણપતિજીનું સ્થાપન, વાસ્તુદેવ સ્થાપન, યોગીની મંડળ અર્થાત મહાલક્ષ્મી સહિત 64 માતાઓનું સ્થાપન, બ્રહ્માદિ દેવો, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, ક્ષેત્રપાળ, નવ ગ્રહમંડળ, શિવજી, બ્રહ્માજી, અગ્નિ વગેરે દેવોનું સ્થાપન થશે.

Vrsl8577

યજ્ઞમાં હોમવા માટેના લાકડા પણ શાસ્ત્રો અને રૂષિમુનિઓએ પ્રતિપાદિત કરેલ જેવા કે ખેર, ઉંમરો, અધેડો, પીપળો, ખીજડો, આંકડો, ખાખરો,અડાયા છાણા વગેરે વપરાશે. જેનો સંગ્રહ એક વર્ષ પહેલાથી કરવાનો શરૂ કરાયેલ. કાષ્ટની સાથે જવ, તલ, ડાંગર, કમળકાકડી, કપૂરકાચલી, તમાલપત્ર, સુગંધવાળો, ધી તથા દૂધમાં રાંધેલ હવિષ્યાન વગેરે સામગ્રીઓ અગ્નિ નારાયણને અર્પણ કરાશે. શ્રી પુરુષસૂક્ત, વિષ્ણુસહસ્ત્રનામ, સર્વમંગલ સ્તોત્ર, જનમંગલસ્તોત્ર, વગેરે વૈદિક સ્તોત્રના ગાન સાથે યજમાનો અનનિનારાયણને આહૂતિઓ અર્પશે. આ સમયે પ્રગટતી ધૂમ્ર શેરો વાયુને પ્રદૂષિતતામાંથી મુક્ત કરે છે. માણસની આંખને વિશેષ જ્યોતિ પ્રદાન થાય છે. જેનાથી તેમને સુસ્પષ્ટ જોવાની શક્તિ મળે છે.

અમૃત મહોત્સવ સમયે તારીખ 23 અને 24 ડિસેમ્બર દરમ્યાન સહજાનંદનગર મવડી કણકોટ રોડ ખાતે 1008 જળયાગ યોજાશે. જેમાં શિવ મંદિરમાં મહાદેવજીના લીંગ ઉપર જળનો અભિષેક થતો રહેતો હોય છે તેમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમા ઉપર 1008 મહિલા પુરુષો અભિષેક કરશે. કાસ્ટના સરવાથી ભગવાન ઉપર કેસર ચંદન મિશ્રિત સુગંધિમાન જળથી અભિષેક કરાશે. ” ઓમ  નમો ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમ: ” આ મંત્રના ઉચ્ચારણ સાથે ભગવાન ઉપર અભિષેક થતો રહેશે. સવારે 8:30 થી 11:30 અને બપોર પછી 2:30 થી 5:30 દરમ્યાન જળાભિષેક થશે.

અમૃત મહોત્સવના ઉપલક્ષ્યે વર્ષ દરમિયાન 1600 ઘરે જળાભિષેકનું આયોજન થયેલું. તેમાં 26 કરોડ જેટલા મંત્રો જપાયેલા. ભક્તોના હધ્યમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ પ્રગટાવવા અમૃત મહોત્સવના ઉપક્રમે આવા અવનવા આયોજન સ્વામીશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસારે થયેલા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.