Abtak Media Google News

700 વિદ્યાર્થીઓ સાથે જ્ઞાતિ ગૌરવ શ્રેષ્ઠીઓનું કરાશે બહુમાન

રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળ દ્વારા રાજકોટમાં વસતા મોચી જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનવા માટે ર9માં સરસ્વતિ સન્માન સમારંભ-2022 તા. 11-1ર ના રોજ બપોરે બે વાગ્યે અરવિંદભાઇ મણિયાર હોલ, જયુબેલી બાગ, રાજકોટ ખાતે યોજાનાર છે.

‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા હાર્દિકભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ ચૌહાણ, હર્ષદભાઇ મકવાણા, બકુલભાઇ ચાવડા, સંજયભાઇ દલ, મુકેશભાઇ ગોહિલ વિગેરેએ વિશેષ વિગતો આપી હતી.

આ સન્માન સમારોહમાં 700 જેટલા ધો. 1 થી ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ કક્ષાના વિઘાર્થી ભાઇ-બહેનોનું પ્રમાણપત્ર, શિલ્ડ, ગીફટ આપી સન્માન કરવામાં આવશે. તેમજ શ્રેષ્ઠ શિક્ષકનુ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઉમેશભાઇ વાળા સહીત બહુમુખી પ્રતિભા સંપન્ન ધાર્મિક ગોહેલ, નિરવ વાઘેલા, કુ. એકતા યોગેશ, વાળા સહિતનાને જ્ઞાતિ ગૌરવ સન્માન આપી બહુમાન કરાશે.આગેવાનોની ઉ5સ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં સમસ્ત મોચી સમાજના ભાઇ-બહેનોને ઉ5સ્થિત રહેવા રાજકોટ મોચી જ્ઞાતિ કર્મચારી પ્રગતિ મંડળે અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.