Abtak Media Google News

અમદાવાદ શહેરનો સૌથી ઝડપી વિકાસ પામેલો મણીનગર વિસ્તારના કાંકરિયા ખાતે ગતરોજ રવિવારે રાઈડ પડી ભાંગી હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને અંદાજીત 29ને ઈજાઓ પહોંચી હતી. રિપોર્ટમાં રાઈડના નટબોલ્ટ રિપ્લેસ કરવા ઉપરાંત અન્ય ત્રણ બાબતો અંગે પણ તાકીદ કરવામાં આવી હતી. છતાં પણ આ અંગે કોઈપણ સતર્કતા નહીં રાખવાને કારણે રવિવારે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ ઘટના બાદ રાજકોટ મ્યુ. કમિશ્નર દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ક ફન વર્લ્ડ બંધ રાખવાની સૂચના જાહેર કરી છે. તેમણે મિકેનિકલ રાઈડનું મેન્ટેનન્સ કરવાની પ્રથમ સૂચના આપી છે અને RNB પાસેથી સર્ટિફિકેટ લીધા પછી ચાલુ કરી શકાશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.