Abtak Media Google News

રાજકોટના પોષ વિસ્તાર એવા માલવીયા ચોકમાં આવેલી ભારત પેટ્રોલિયમની દુકાનમાં કોઈ કારણોસર આગ લાગતા નાસભાગ મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો. માલવીયા ચોકમાં આવેલા પેટ્રોલ પંપથી થોડા જ અંતરે પેટ્રોલીયામની દુકાનમાં આગ ભભૂકતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ફાયર ફાઈટરની 4 ગાડીઓએ તુરંત આગને કાબુમાં લઈ લેતા મોટી દુર્ઘટના તળી હતી. પેટ્રોલ પંપ સુધી આગ પહોંચે તે પહેલાં જ ફાઈટર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ભારત પેટ્રોલિયમની દુકાનમાં ક્યાં કારણોસર આગ લાગી તેના વિશે જાણવા મળ્યું ન હતું. તો બીજી તરફ દુકાનના માલિક પણ ત્યાં હાજર હોય અને અંદાજે લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવ્યો હતો. (તસવીર: કરન વાડોલિયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.