Abtak Media Google News

૪૦ જેટલા એએસઆઈ, હેડ કોન્સ. અને પોલીસ કોન્સ.ની બદલી કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

રાજકોટ શહેર પોલીસમાં ફરી આંતરીક બદલીનો ઘાણવો નિકળ્યો છે. જેમાં ૪૦ જેટલા એએસઆઈ, હેડ કોન્સ. અને પોલીસ કોન્સ.ની બદલી કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક બ્રાંચના બી.કે.જાડેજાને કંટ્રોલરૂ મમાં મુકાયા છે અને એસઓજી અને ડીસીબીના ૭ કર્મચારીને હેડ કવાર્ટરમાં મુકવામાં આવ્યા છે. પોલીસ કમિશનરની સત્તાવાર યાદી મુજબ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ વિજયભાઈ શિવદાનભાઈને કંટ્રોલરૂ મમાં, ટ્રાફિક શાખાના એએસઆઈ બળવંતસિંહ ખેંગારજીને કંટ્રોલમાં, ડીસીબીમાં રણજીતસિંહ આણંદસિંહને હેડ કવાર્ટરમાં, ડીસીબીના હરેન્દ્રરાય દિનકરાયને હેડ કવાર્ટરમાં, હેડ કવાર્ટરના એએસઆઈ નિરવભાઈ રામજીભાઈને કુવાડવા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પીઆઈ, પીએસઆઈ સહિતનો બદલીનો ઘાણવો કાઢ્યો હતો.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.