Abtak Media Google News
  • ખોખરદળમાં પત્નીએ પતિને બેટ વડે ફટકાર્યો: ઉત્તરપ્રદેશમાં થયેલી માથાકૂટમાં કનૈયા ચોકમાં પિતા – પુત્ર પર હુમલો
  • બાબરીયા કોલોનીમાં લુખ્ખા તત્વોનો પરિવાર પર છરી વડે હુમલો: માનસરોવરના ઢાળિયા પાસે ચાર શખ્સોએ યુવાનને લમધાર્યો: મંછાનગરમાં અજાણ્યા શખ્સે મહિલાને છરી ઝીંકી

શહેરમાં છેલ્લા 24 કલાકમાં જુદા જુદા સ્થળોએ મારામારીની પાંચ ઘટનાઓ સામે આવી છે જેમાં બે મહિલાઓ સહિત કુલ સાત લોકો ગવાતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ખોખરદળમાં પત્નીએ પતિને બેટ વડે ફટકાર્યો હતો તો ઉત્તરપ્રદેશમાં થયેલી માથાકૂટમાં કનૈયા ચોકમાં પિતા – પુત્ર પર હુમલો થયો હતો. બાબરીયા કોલોનીમાં લુખ્ખા તત્વોનો પરિવાર પર છરી વડે હુમલો થયાનું સામે આવ્યું છે. માનસરોવરના ઢાળિયા પાસે ચાર શખ્સોએ યુવાનને લમધાર્યો હતો તો મંછાનગરમાં અજાણ્યા શખ્સે મહિલાને છરી ઝીંકી દેતા સારવાર માટે ખસેડવામાં આવી છે.

અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ખોખરદળમાં ઉલટી ગંગા જેવો બનાવ સામે આવ્યો છે જેમાં પત્ની ભાવનાના આડા સંબંધ બાબતે પતિ વિક્રમભાઈ ભરતભાઈ એવાડીયા (ઉ.વ.28) એ ટપારતા પત્ની ભાવના એ પતિને બેટ વડે ફટકાવ્યો હતો જેમાં કવાયેલા પતિ વિક્રમભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યારે બીજા બનાવમાં કનૈયા ચોક પાસે આવેલા શિવપુરા વિસ્તારમાં રહેતા રાજમન શ્રીરામાશ્રય યાદવ (ઉ.વ.44) અને તેના પુત્ર દિપક યાદવ (ઉ.વ.25) પર સત્યમ રણવીજય સહિત ના આવે લાકડી વડે હુમલો કરતા બંને પિતા પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણકારી મળતા ઉત્તર પ્રદેશમાં હલણ બાબતે થયેલી માથાકૂટ ના કારણે બે દિવસથી રાજકોટ આવેલા રાજમન પર હુમલાખોરોએ હુમલો કર્યાનો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.ત્રીજા બનાવમાં બાબરીયા કોલોની માં લુખ્ખા થતું હોય આતંક મચાવ્યો હતો જેમાં સામાન્ય બાબતે કાના તેના ભાઈ કવા અને અજાણ્યા શખ્સોએ છરી વડે પપ્પુભાઈ કાળુભાઈ ભાલિયા, તેની પત્ની રેખાબેન અને સુરજભાઈ કાળુભાઈ મોરી પર છરી અને તલવાર વડે હુમલો કરતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ચોથા બનાવમાં સરોવરના ઢાળિયા પાસે જયદીપ મુકેશભાઈ ચૌહાણ નામના યુવાન પર દિનેશ જીવણ મુંધવા, હરેશ જીવણ મુંધવા, અનિલ અને કિશન સહિતના શખ્સોએ ધોકા જેવા હથિયાર વડે માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ તમામ શખ્સોએ અમારી સમાજની દીકરી વિશે કેમ વાતો કરો છો તેમ કહીને યુવાનને માર માર્યાનો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

જ્યારે વધુ એક બનાવમાં માર્કેટિંગ યાર્ડ પાસે મંછાનગરમાં રહેતી યુવતી પાડોશમાં રહેતા યુવાને ભગાડી જતા તેના વિશે વાત કરવા જતા મીનાબેન મથુરભાઈ ગોળકીયા નામના 60 વર્ષના વૃદ્ધા પર એક શકશે માથામાં છરી જીકી દેતા તેઓને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીનાબેન ની પુત્રીને આજે ચુંદડી ઓઢાડવા આવવાના હોય જે બાબતે પાડોશમાં રહેતા શખ્સ ના કરે પૂછતા જ કરવા જતા હુમલો થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.