Abtak Media Google News

રાજકોટ સમાચાર

રાજકોટમાં એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં નિર્દોષ બાળકીને પિતાના મિત્રોએ જ પિંખી નાખ્યા બાદ નિર્મમ હત્યા નીપજાવી દીધાનું સામે આવ્યું છે. શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયાં બાદ ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસેથી અવાવરું જગ્યામાંથી માથું છુંદી નખાયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે સીસીટીવી સહિતની મદદથી તપાસ હાથ ધરતા પિતાના મિત્ર મિથલેશ દાસ, ભરત મિણા અને અમરેશ કુલદીપએ જ બાળકી પર સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ પથ્થરથી માથું છુંદી હત્યા નીપજાવ્યાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ત્રણેય નરાધમોની વિરમગામ, રાજસ્થાનથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.