Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»રાજકોટ: પૂર્વ પ્રેમિકાના ત્રાસથી કંટાળી પ્રૌઢે કરી આત્મહત્યા
Gujarat News

રાજકોટ: પૂર્વ પ્રેમિકાના ત્રાસથી કંટાળી પ્રૌઢે કરી આત્મહત્યા

By ABTAK MEDIA21/01/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : સ્યુસાઇડ નોટમાં પૂર્વ પ્રેમિકા અને તેના પરિવારજનો પર કર્યા આક્ષેપ

રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વ્યાપાર કરતા આધેડે પૂર્વ પ્રેમિકાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મૃતક આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત પહેલા પ્રૌઢે લખેલી સ્યુસાઈડ નોટમાં તેની પૂર્વ પ્રેમિકા અને તેના પરિવારજનો પર આક્ષેપ કર્યો હતો જેના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આવેલા લક્ષ્મીવાડી ક્વાર્ટરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા રાજેશભાઈ પ્રતાપભાઈ પરમાર નામના 47 વર્ષના આધેડે બે દિવસ પૂર્વે ઢેબર રોડ પર આર્ય સમાજની વાડી પાસે ઝેરી દવા પી લીધી હતી. શાકભાજીના વેપારીને ઝેરી અસર થતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાજેશભાઈની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેનું ચાલુ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

મૃતક રાજેશભાઈ પરમારે ઝેરી દવા પીધી તે પૂર્વે એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં મૃતક રાજેશ પરમારને લક્ષ્મીવાડી ક્વાર્ટરમાં રહેતી મિતલ પંકજ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો અને બાદમાં મિતલને અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ રાજી ખુશીથી પ્રેમ સંબંધ ટૂંકાવી લીધો હતો. રાજેશભાઈ પરમારે મિતલ સાથે પ્રેમ સંબંધ નહીં રાખવા અંગે રંજનબેન શૈલેષભાઈ રાઠોડ, ખમ્મા સુખદેવ જાદવ અને પંકજ હસમુખભાઈ રાઠોડને જાણ કરી હતી. જે વાતથી ઉશ્કેરાયેલા શખ્સોએ બદલો લેવાના હેતુથી ભક્તિનગર પોલીસમાં રાજેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને મિતલ રાઠોડે પૈસાની પણ માંગણી કરી હતી. એટલું જ નહિ પરંતુ મિતલ રાઠોડ મારા પરિવાર વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ કરવાની અવાર-નવાર ધમકીઓ આપતી હતી જેથી પ્રેમિકા અને તેના પરિવારના ત્રાસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું રાજેશ પરમાર પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

ALSO READ  તરણેતરના મેળામાં થશે પશુ પ્રદર્શન હરીફાઈ

આ ઘટના અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજેશભાઇ પરમાર બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ અને કુંવારા હતા અને શાકભાજીનો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. મૃતક રાજેશભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે જે સ્યુસાઇડ નોટના આધારે પોલીસે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

crime featured gujarat Love rajkot SaurashtraNews
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજયમાં ગુજકેટ માટે હવે 25મી જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
Next Article પડધરી: ખામટા ગામે બે સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઝપાઝપી
ABTAK MEDIA
  • Website

Related Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

22/09/2023

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

 અબડાસા: તેરા ગામે ગણેશ મહોત્સવનું આયોજન

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.