Abtak Media Google News

સ્થળાંતરિત લોકોને ઘેર મોકલવાની કામગીરી શરૂ

બિપરજોય વાવાઝોડા અને ભારે વરસાદની પરિસ્થિતિના કારણે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત  પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, 92 પ્રાથમિક શાળાઓ અને 364 આંગણવાડીઓ  આજે સતત ચોથા દિવસે બંધ રહ્યા હતા.

Advertisement

સાવચેતીના પગલાંરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાંથી કુલ 2229 અસરગ્રસ્તોનું મહાનગરપાલિકાની સિટી બસ મારફત નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવેલ છે તેમજ આ લોકો માટે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે.   આજથી તમામને ઘેર મોકલવાનું શરૂ કરાશે

એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્વારા હાલ 8441 બોર્ડ / બેનરો ઉતારી લેવામાં આવ્યા છે અને 299 જેટલા હોર્ડિંગ જે-તે એજન્સી મારફત ઉતરાવી લેવામાં આવ્યા છે.

ગાર્ડન શાખા દ્વારા ભયગ્રસ્ત કુલ 469 વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે તેમજ ભારે પવનને કારણે 128 વૃક્ષો ધરાશાયી થયા હતા રસ્તા પરથી તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.