Abtak Media Google News

માત્ર 7 મિનિટમાં જ દાતાઓએ અનુદાન આપવાની ખાતરી આપી

જીવનમાં આવેલી કોઈપણ ગંભીર સમસ્યા કે કટોકટી સમાજના બધા લોકોને સબક શીખવાડે છે. તેનો અનુભવ તારીખ 22/04/2021 ના રોજ રાજકોટમાં કોરોનાની સારવાર આપી રહેલા હોસ્પિટલ તંત્રને થયો. ઓક્સિજનની સર્જાયેલી તીવ્ર તંગી સામે દરેક હોસ્પિટલ લાચારી અનુભવતી હતી અને હવે શું થશે..? એ મોટો પ્રશ્નાર્થ દરેકના મનમાં ઉદભવ્યો હતો. સરકારે ગંભીર કટોકટી પારખીને મોડી રાત્રે જે તે હોસ્પિટલને જરૂરી પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરી આપતા દરેક હોસ્પિટલના વહીવટદારોએ નિરાંતનો દમ લીધો હતો. પરંતુ ભવિષ્યમાં પંચનાથ હોસ્પિટલમાં આ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નાખવાનો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં આવ્યો હતો. પંચનાથ હોસ્પિટલના યુવા પ્રમુખ દેવાંગભાઈ માંકડે હોસ્પિટલ આત્મનિર્ભર બને તે હેતુથી પોતાના ખાસ મિત્રોને આ વિચાર વ્હોટસએપમાં રજુ કર્યો અને તેના મિત્રો તરફથી વાયરલ થયેલો આ સેવાકીય સંદેશનો પ્રત્યુત્તર સકારાત્મક રીતે મળવા લાગ્યો અને માત્ર 7 મિનિટમાં જ દાતાઓએ અનુદાન આપવાની ખાતરી આપી.

4 6

પ્રથમ પ્લાન્ટના દાતાઓ રાજકોટ બેંક વર્કસ કો-ઓપ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, ઉદયભાઈ કાનગડ (પૂર્વ મેયર અને પ્રમુખ બક્ષીપંચ ગુજરાત ભાજપ પ્રદેશ), ભાવેશભાઈ પટેલ (પટેલ ટિમ્બર્સ, જગદીશભાઈ ડોબરીયા (જે.પી. ઇન્ફા), છગનભાઇ બુસા (સ્વાગત ગ્રુપ), દિલીપભાઈ આડેસરા બીજા પ્લાન્ટના દાતાઓ : ધનસુખભાઇ ભંડેરી (ચેરમેન ગુજરાત ફાઇનાન્સ બોર્ડ), હેતલભાઈ રાજ્યગુરુ (જાણીતા બિલ્ડર્સ), વિક્રમભાઈ શાહ (જાણીતા બિલ્ડર્સ), અજયભાઇ કારિયા (જાણીતા બિલ્ડર્સ), અજયભાઇ શેઠ (જાણીતા બિલ્ડર્સ) તથા પી.ડી.અગરવાલ જેવા ઉદારદિલ દાતાઓ તરફથી કલ્પી ન શકાય તેટલા સમયમાં સહકાર મળ્યો છે.

“જબ મહાદેવ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ” આ ઉક્તિ વર્તમાન સમયમાં યોગ્ય રીતે યથાર્થ સાબિત થઈ છે. ઓક્સિજન પ્લાન્ટ નાખવાનો વિચાર કરનાર અને તેમાં સહયોગ આપનાર દરેક ઉદારદિલ દાતાઓ દેવાધિદેવ મહાદેવના આશિર્વાદ મેળવવામાં સફળ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.