ઉનાળો ધીમા પગલે રાજયભરનાં શહેરમાં પગપેસારો કરી રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા લોકો શેરડીનો રસ પીવે છે. રાજકોટમાં પણ ઠેર ઠેર શેરડીના રસના ચીચોડા ખૂલી રહ્યા છે. રાજકોટમાં શેરડીના રસ કાઢવાના ચીચોડાનું જોરશોરથી ઉત્પાદન થઈ રહ્યું છે. કારીગરો ચીચોડાને રંગ રોગાન કરતા નજરે ચડી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં શેરડીના રસને ધરતીનું અમૃત પીણુ તરીકે ઓળખવામાં આવે છે. શેરડીનો રસ ઉનાળામાં શરીરને લાગતી લુ થી બચાવે છે. ઉપરાંત શેરડીનો રસ નાના બાળકોથીલઈ વૃધ્ધો સુધી દરેક વયની વ્યકિતને સ્વાદપ્રીય છે. મશીનરી ઉદ્યોગમાં સૌરાષ્ટ્રમાં રાજકોટનું નોંધપાત્ર નામ છે ત્યારે શેરડીનો રસ કાઢવાના મશીન બનાવવામાં પણ રાજકોટ અગ્રેસર છે. (તસ્વીર: શૈલેષ વાડોલીયા)
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક