Abtak Media Google News

સેવાકીય પ્રવૃતિને ભાજપ અગ્રણીઓએ બિરદાવી

રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી જરૂરીયાતમંદ લોકો શ્રમિકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવશે. લોકડાઉન ચાલી રહેલ છે. તેવા સમયમાં કાયમી રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો માટે આ કપરો સમય છે. આવા સમયે મજુર વર્ગના લોકોને મદદરૂપ થવાના આશયથી તેવો મુખ્યા ન રહે તેવા જરૂરીયાતમંદ લોકોને અનાજ કિટનું ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તરફથી વિતરણ કરવામાં આવશે. આ માટે સ્વયંમ સેવકોએ ઘઉંનો લોટ, તેલ, ચોખા, મગદાળ, ખાંડ, બટેકા, ડુંગળી જેવી અનાજ કિટો બનાવી છે. જેનું વિતરણ કરવામાં આવશે તેમ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા જણાવે છે. આવા સેવાકીય કાર્યને રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ચેતનભાઈ રામાણી, રા.લો.સંઘના વાઈસ ચેરમેન મનસુખભાઈ સરધારા, રાજકોટ માર્કેટ યાર્ડના ડિરેકટર પરસોતમભાઈ સાવલીયા, ભાજપ અગ્રણી જે.ડી.ડાંગર, પ્રમુખ સંજય પિપળીયા, મહામંત્રી હરસુખભાઈ, મહામંત્રી સંજયભાઈ બોરીચા, પ્રવિણભાઈ પાઘડાર, યોગરાજસિંહ જાડેજા, મહામંત્રી દશરથસિંહ જાડેજા, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ડવ, સુરેશભાઈ રામાણી તેમજ ભાજપ અગ્રણીઓએ બિરદાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.