રાજકોટમાં હૈયુ કંપાવનારી ઘટના સામે આવી છે જેમાં માતાએ પતિના આડા સબંધોથી કંટાળીને બે સંતાનોને મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે ત્યારે આ ઘટનાને પગલે પોલીસે પતિની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરની છે જ્યાં પરિણીતા મનીષાબેન સાગરભાઈ પરમાર (ઉ.વ.૩૦) નામની પરિણિતાએ પોતાના ફૂલ જેવા બાળકો ઈશિતા અને ભાર્ગવને એસિડ પીવડાવી ટૂંપો દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યાર બાદ પોતે ફેસબુક પર પોતાના પતિ સાગર પરમાર પર આક્ષેપો સાથેનો વિડિયો વાયરલ કરી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે.
https://www.instagram.com/reel/Cs-Vc58oZaD/?igshid=NzJjY2FjNWJiZg==
6 વર્ષ પૂર્વે લગ્ન ગ્રંથીથી જોડાયેલી પરિણીતાએ પતિના આડા સંબંધોથી કંટાળીને પત્નીએ બાળકોને સંતાનોને એસિડ પીવડાવીને ડૂચો દઈને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ પોતે પણ આપઘાત કાર્યો હતો. આપઘાત પહેલા સોશીયલ મીડિયામાં વીડીયો અપલોડ કર્યો હતો જેમાં પતિ પર અનેક આક્ષેપ મુકવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાની નોંધ કરી પતિની અટક કરી આગળની કાર્યવાહી હાથધરી છે. સાગર પરમાર અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જ્યારે તેનો ભાઈ હિરેન પરમાર હાલ હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો છે.