Abtak Media Google News

રાજ્યભરમાં વ્યાજંકવાદને નાથવા માટે પોલીસે કમર કસી છે. જેના ભાગરૂપે ઠેર ઠેર પોલીસે લોકદરબાર યોજી વ્યાજખોરો સામે ફરિયાદનો દોર ચલાવ્યો છે. તેવી જ રીતે માલવીયાનગર પોલીસ મથક દ્વારા એસીપી વી.જી.પટેલની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

Dsc 5303

જેમાં વ્યાજના ચક્રવ્યુમાં ફસાયેલા પીડિતોએ પોતાની આપવીતી વર્ણવી હતી. જેમાં મહિલા દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને રાખી પીઆઈ આઈ.એન.સાવલિયા સહિતના સ્ટાફે તેમને સમજણ આપી હતી. લોકદરબારમાં ઉમટેલા પીડિતોને પોલીસે સાચો રસ્તો બતાવ્યો હતો. આ સાથે પીડિતોને પોલીસ સામે વ્યાજખોરો સામે ખુલીને રજૂઆત કરવા માટે પણ વિનંતી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.