Abtak Media Google News

શહેરના મોરબી રોડ પર રોહીદાસપરામાં પિતાએ કામે જવાનું કહેતા પુત્રએ એસિડ ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે જ્યારે બેડીપરામાં ઘરકંકાસથી કંટાળી પરિણિતાએ ઝેરી દવા પી લીધી હતી.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર રોહીદાસપરા શેરી નં.1માં રહેતા સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ (ઉ.35)એ અજો સવારે પોતાના ઘરે એસિડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં તેને સંતાનમાં બે પુત્રો છે. સુરેશભાઈ કામે જતો ન હોવાથી તેના પિતાએ કામે જવાનું કહેતા લાગી આવતા આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જ્યારે બીજા બનાવમાં બેડીપરા ફાયર બ્રિગેડ પાસે રહેતી રાધીબેન વિપુલભાઈ ધરણીયા (ઉ.30)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાઈ છે. પતિ સાથે ઘરકંકાસ થતા આ પગલુ ભરી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.