Abtak Media Google News

બે માસ સુધી અમદાવાદ તરફ રખડી અવારનવાર દુષ્કર્મ આચર્યાનું મેડિકલ ચેકઅપમાં ખુલ્યું

રાજકોટની ભાગોળે આવેલા ડુંગરપુર ગામની તરુણીને લગ્નની લાલચે ભગાડી જઈ ચોટીલાના ભેટસુડા ગામના હવસખોરે બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. તરુણીને અમદાવાદ તરફ રખડાવી સતત બે માસ સુધી હવસનો શિકાર બનાવનાર બળાત્કારીને પોલીસે દબોચી લીધો હતો.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ડુંગરપુર ગામે રહેતી 17 વર્ષની તરુણી પર ચોટીલાના ભેટસુડા ગામના કુટુંબી કિશન લાલજી કુકડિયાએ લગ્નની લાલચ આપી બે માસ પહેલા ભગાડી ગયો હતો.

ત્યાંથી આરોપી કિશન કુકડિયા તરુણીને અમદાવાદ તરફ ભગાડી ગયો હતો જ્યાં હવસખોરે તરુણીને અવારનવાર હવસનો શિકાર બનાવ્યો હોવાનુ મેડિકલ ચેકઅપમાં બહાર આવ્યું છે. આજીડેમ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાતા પીઆઈ કે.જે.કરપડા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના કલાકોમાં જ આરોપી કિશનને દબોચી લઈ આગળની તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ભોગ બનનનાર આરોપીના કુટુંબી ભાભીની બહેન જ થતી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.