Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી પદ્માવત ફિલ્મનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે કરણી સેનાએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું. તેના પગલે રાજકોટના તમામ સિનેમા ઘરો અભેદ કિલ્લામાં ફેરવાયા હતા. ૫ એસઆરપીની ટુકડી તેમજ ૧૨૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પદ્માવત ફિલ્મ રીલીઝ નહીં કરવાની થિયેટરના સંચાલકોએ ખાતરી આપી હતી. જેથી આજે રાજકોટના સિનેમાઘરોમાં પદ્માવત રીલીઝ કરવામાં આવ્યુ નથી. કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે સિનેમાઘરોમાં સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.