Abtak Media Google News

રાજકોટના રાજવી, ઉમદા શાશક અને પ્રખર વક્તા મનોહરસિંહ જાડેજાના દુ:ખદ નિધન બદલ સરગમ પરિવારે ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે અને શ્રધ્ધાંજલી  આપી છે.

સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા આજે સવારે સ્વ.મનોહરસિંહ જાડેજાના અંતિમ દર્શને ગયા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સ્વ.મનોહરસિંહ જાડેજા સરગમ કલબની સ્મશાન જીર્ણોધ્ધાર કમિટીમાં પણ હતા અને આજે જે નવનિર્મિત સ્મશાન છે તેના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો  હતો.

Advertisement

સ્વ.મનોહરસિંહ જાડેજા હંમેશા સરગમ ક્લબના હોદેદારોને સેવા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા અને કાર્યોની પ્રશંશા પણ  કરતા હતા. મનોહરસિંહ જાડેજાનું નિધન થયા ના સમાચાર મળતા જ સરગમ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને અંજલિ પાઠવવામાં આવી હતી.

ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું છે કે,દાદાના નિધનથી રાજકોટને એક ન પુરી શકાય એવી ખોટ પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.