Abtak Media Google News

માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બહેન-ભાઇના શુઘ્ધ સાત્વીક નિર્વાજય પ્રેમના પ્રતિક સ્વરુપ એવો રક્ષાબંધનનો કાર્યક્રમ સ્પે. હોમ ફોર બોયઝ જામનગર રોડ ખાતે ઉજવાયો હતો. ટ્રસ્ટની બાળાઓએ સંસ્થાના બાળકોને રક્ષા સ્વરુપે રાખડી બાંધી હતી ત્યારે ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના મેયર બીનાબેન આચાર્ય તથા વોર્ડ નં.ર ના કોર્પોરેટર અને બાંધકામ સમીતીના ચેરમેન મનીષભાઇ રાડીયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજ કાર્યના ડો. રમેશભાઇ વાઘાણી, થેલેસેમીયા ક્ષેત્રે કાર્યરત ડો. રવિ ધાનાણી, સોની સમાજના અગ્રણી અજયભાઇ ફીચડીયા શાળા નં.પ૬ ના આચાર્ય નરેન્દ્રભાઇ ગીડા, પૂર્વ ડે.મેયર જસુમતિબેન વસાણી, વોર્ડ નં.૪ મહીલા મોરચાના પ્રભારી ધરાબેન વૈષ્ણવ ઉ૫સ્થિત રહી બાળકોને રક્ષા બાંધી આશીવચન આપ્યા હતા. કાર્યક્રમના અંતે માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બાળકો માટે સ્વાદિષ્ટ ભોજન રાખવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.