Abtak Media Google News

દંપતી વચ્ચે સમાધાન કરાવી પરિણીતા પર બે વર્ષ સુધી આચર્યું કુકર્મ

પાટડીના વાલેવડા ગામની મહિલાનો પતિ પાંચ વર્ષ અગાઉ અન્ય મહિલા સાથે સંબંધના મામલે ગામ છોડીને જતો રહયો હતો ત્યારે વાલેવડા ગામની મહિલા સરપંચના પતિએ બન્ને પતિ-પત્નિ વચ્ચે સમાધાન કરાવ્યાનો લાભ લઈ એ મહિલા સાથે બે વર્ષમાં ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.

પાટડી તાલુકાના વાલેવડા ગામે રહેતી મહિલાના પતિને પાંચ વર્ષ અગાઉ અન્ય મહિલા સાથેના સંબંધના મામલે ગામ છોડીને જતો રહયો હતો. ત્યારે વાલેવડા ગામની મહિલા સરપંચના પતિ ઈશ્વરભાઈ શંકરભાઈ દવેએ આ બન્ને પતિ-પત્નિ વચ્ચે સમાધાન કરાવતા મહિલાનો પતિ ગામમાં આવીને રહેવા લાગ્યો હતો. આ સમાધાન કરાવ્યાનો લાભ લઈ ઈશ્વરભાઈ શંકરભાઈ દવેએ આ મહિલા સાથે મજબુરીમાં છેલ્લા બે વર્ષમાં પાંચથી સાત વખત દુષ્કર્મ આચર્યું હતુ.

અને પછી છેલ્લા છ મહિનાથી આ મહિલાએ શારીરીક સંબંધ બાંધવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈશ્વરભાઈ શંકરભાઈ દવે આ મહિલા ઘેર એકલી હોય ત્યારે ઘરે પહોંચી જવાની સાથે ફોન પર અવારનવાર શારીરીક સંબંધીની માંગણી કરવાની સાથે ધમકી આપ્યાની વાલેવડા ગામની મહિલા સરપંચના પતિ ઈશ્વરભાઈ શંકરભાઈ દવે વિરુઘ્ધ દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઈ જે.જે.ચૌહાણ ચલાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.