Abtak Media Google News

સર્વેશ્વર ચોકમાં સરાજાહેર હુમલો થતાં ટોળેટોળા એકઠા થયા

કાલાવડ રોડ પર આવેલા વિષ્ણુ  વિહાર સોસાયટીમાં રહેતા મયુરસિંહ રાણા નામના 30 વર્ષના ગરાસિયા યુવાન સર્વેશ્ર્વર ચોકમાં હતા ત્યારે જૂના મન દુ:ખના કારણે જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે હુમલો કરતા ઘવાયેલા મયુરસિંહ રાણાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મુળ કોંઢ ગામના વતની મયુરસિંહ રાણા એકાદ વર્ષ પહેલા રવિરત્ન પાર્કમાં કાર પાર્કિંગના પ્રશ્ને પટેલ શખ્સ સાથે ઝઘડો થયો હતો ત્યારે પટેલ શખ્સનું ઉપરાણું લઈ દેવાયત ખવડ પાઈપ સાથે હુમલો કરવા ધસી આવ્યા હતા. પરંતુ બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં અટક્યો હતો.

છેલ્લા એકાદ વર્ષથી બન્ને વચ્ચે ચાલતી અદાવતના કારણે દેવાયત ખવડે હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મયુરસિંહ રાણા પર હુમલો થયાની જાણ સગા-સંબંધીઓમાં થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.