Abtak Media Google News

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આવું સાત મહિનામાં બીજી વખત બન્યું છે કે, આરબીઆઈના કોઈ ઉચ્ચ અધિકારીએ તેમનો કાર્યકાળ પૂરો થયો હોય તે પહેલાં જ રાજીનામું આપી દીધું છે.

આ પહેલાં આરબીઆઈના ગવર્નર ઉર્જિત પેટેલે પણ ડિસેમ્બરમાં તેમના અંગત કારણોસર રાજીનામું આપી દીધું હતું. વિરલ આચાર્યને પણ નિવૃત્તિના છ મહિના બાકી હતા અને પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું છે.આચાર્ય 2017માં આરબીઆઈ સાથે જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.